જમ્મુ, નવી દિલ્હી, 11 ઓક્ટોબર : રાષ્ટ્રપતિ બન્યા બાદ દ્રૌપદી મુર્મુ આજે તેમની પ્રથમ બે દિવસીય જમ્મુ-કાશ્મીરની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન રાષ્ટ્રપતિ મુર્મુ કાશ્મીર યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ હશે. રાષ્ટ્રપતિ ગુરુવારે માતા વૈષ્ણો દેવીના દરબારમાં પણ જશે અને ભવન પરિસર માં, પાર્વતી ભવન અને સ્કાય વોક (ફ્લાયઓવર)નું ઉદ્ઘાટન કરશે.
રાષ્ટ્રપતિની મુલાકાતને ધ્યાનમાં રાખીને સમગ્ર રાજ્યમાં ખાસ કરીને શ્રીનગર અને તેની આસપાસના વિસ્તારોમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ બુધવારે કાશ્મીર યુનિવર્સિટીના 20મા દિક્ષાંત સમારોહમાં વિવિધ વિષયોમાં ગોલ્ડ મેડલ જીતનાર 283 વિદ્યાર્થીઓને સન્માનિત કરશે. રાષ્ટ્રપતિની હાજરીમાં વર્ષ 2021 થી 2023 સુધીના 53,523 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવશે.
આ સમારોહ પછી રાષ્ટ્રપતિ મુર્મુ રાજભવન ખાતે અનુસૂચિત જનજાતિના પ્રતિનિધિઓ અને મહિલા સ્વ-સહાય જૂથોના સભ્યોને મળશે. તે ડલ લેકમાં શિકારા પ્રવાસ પણ કરશે. ઉપ-રાજ્યપાલ મનોજ સિન્હા બુધવારે રાત્રે રાષ્ટ્રપતિના સન્માનમાં ડિનરનું આયોજન કરશે.
