– માછીમારો પોતાના પરિવારો સાથે દિવાળીની ઉજવણી કરી શકશે
ગાંધીનગર/અમદાવાદ,12 નવેમ્બર (હિ.સ.) પાકિસ્તાન દ્વારા પકડેલા ભારતીય 80 માછીમારોને દિવાળી પર્વ પહેલા જ મુક્ત કરવામાં આવ્યા હતા. ભારતીય માછીમારો માછલા પકડવા માટે ઘણી વાર પાકિસ્તાનની જળ સીમામાં પ્રવેશ કરતા હોય છે,ત્યારે પાકિસ્તાન દ્વારા તેમને પકડીને જેલમાં મોકલી દેવામાં આવે છે.તેવા 80 માછીમારોને કેન્દ્ર સરકારના પ્રયત્નોથી વાટાઘાટો બાદતેમને પકડીને મત્સ્ય વિભાગ દ્વારા માછીમારોને વડોદરાથી બે એસી બસ દ્વારા વેરાવળ ખાતે લઈ જવામાં આવ્યા, માછીમારો પોતાના પરિવારો સાથે દિવાળીની ઉજવણી કરી શકશે
મત્સ્ય વિભાગના મદદનીશ નિયામક જીગ્નેશકુમાર, ડો.ધ્રુવ દવે, કૌશિક દવે, પરવેઝ ઝીલાની, ઓનરાઝા મકરાની સહિતના અધિકારીઓએ તેમનો કબજો મેળવ્યો હતો. આ તમામ માછીમારોને વર્ષ 2020માં પકડવામાં આવ્યા હતા. હજી 200 જેટલા માછીમારો પાકિસ્તાનની જેલમાં સજા કાપી રહ્યા છે. ત્યારે મુક્ત કરાયેલ માછીમારો પોતાના પરિવાર સાથે દિવાળી પર્વની ઉજવણી કરી શકશે. માછીમારોના ચહેરા પર પોતાના વતનમાં આવવાની ખુશી જોવા મળી હતી.
80 ભારતીય માછીમારોને પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરાતા રાજ્યના મત્સ્ય વિભાગના અધિકારીઓએ દસમી નવેમ્બરે રાત્રે વાઘા બોર્ડર ખાતેથી તમામ માછીમારોનો કબજો મેળવ્યો હતો. તેમને ટ્રેન દ્વારા વડોદરા લાવવામાં આવ્યા હતા.
પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરાયેલ માછીમારોમાં ગીર સોમનાથના 59, દેવભૂમિ દ્વારકાના 15, જામનગરના 2, અને અમરેલીના એક મળી ગુજરાતના 77 અને દિવના 3 મળી કુલ 80 માછીમારોને પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરાતા ગુજરાત મત્સ્યઉદ્યોગ વિભાગના અધિકારીઓ વાઘ બોર્ડેર ખાતેથી તેમનો કબજો મેળવીને ડીલક્સ ટ્રેન દ્વારા રવિવારે સવારે વડોદરા આવી પહોંચ્યા હતા.તેમને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે બે એસી બસ દ્વારા વેરાવળ ખાતે લઈ જવામાં આવ્યા હતા. હવે આ માછીમારો પોતાના પરિવારો સાથે દિવાળીની ઉજવણી કરી શકશે.
હિન્દુસ્થાન સમાચાર/
