નવી દિલ્હી, 10 જાન્યુઆરી (હિ. સ.) રાષ્ટ્રીય ધોરીમાર્ગો દ્વારા પંજાબને વિકાસના માર્ગ પર લઈ જતા, કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ, બુધવારે હોશિયારપુરમાં રૂ. 4,000 કરોડથી વધુના રોકાણ સાથે 29 રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. આ પ્રસંગે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્ય મંત્રી સોમ પ્રકાશ, પંજાબ બીજેપી પ્રદેશ અધ્યક્ષ સુનીલ કુમાર અને સાંસદો, ધારાસભ્યો અને અધિકારીઓ પણ હાજર હતા.
આજે ઉદઘાટન અને શિલાન્યાસ કરાયેલા પ્રોજેક્ટના અમલીકરણથી, માળખાકીય સુવિધાઓમાં સુધારો થશે, જેનાથી અમલીકરણ વિસ્તારનો સર્વાંગી આર્થિક વિકાસ થશે અને લોકોના જીવનની ગુણવત્તામાં સુધારો થશે. ટ્રાફિકની ભીડભાડ વગરની અને મુક્ત અવરજવર થશે, જે નૂર પરિવહનની કાર્યક્ષમતામાં પણ સુધારો કરશે.
ફગવાડા અને હોશિયારપુર બાયપાસ સહિત આ સેક્શનના 4-લેનિંગનું નિર્માણ ફગવાડા અને હોશિયારપુર વચ્ચે 100 કિમી પર અવર ની હાઇ-સ્પીડ કનેક્ટિવિટી પ્રદાન કરશે અને મુસાફરીનો સમય 1 કલાકથી ઘટાડીને 30 મિનિટ કરશે. ફગવાડા અને હોશિયારપુર બાયપાસ, શહેરી વિસ્તારની ભીડભાડ ઓછી કરશે અને હોશિયારપુરને નેશનલ હાઈવે 44 (જીટી રોડ) દ્વારા સીધી કનેક્ટિવિટી પ્રદાન કરશે. લુધિયાણામાં જીટી રોડ અને નેશનલ હાઈવે 5 ને જોડતા 4-લેન લાડોવાલ બાયપાસનું નિર્માણ, લુધિયાણા-ફિરોઝપુર હાઈવેને દિલ્હી-જલંધર હાઈવે (નેશનલ હાઈવે 44) સાથે સીધું જોડાણ પૂરું પાડશે.
તલવંડી ભાઈથી ફિરોઝપુર સેક્શન અને ફિરોઝપુર બાયપાસના 4-લેનિંગના નિર્માણ સાથે કનેક્ટિવિટીમાં સુધારો થશે. આ પ્રોજેક્ટ્સના નિર્માણથી સુરક્ષામાં વધારો થશે અને દેશના ધોરીમાર્ગો પર ટ્રાફિકમાં ઝડપ આવશે. પ્રોજેક્ટ વિસ્તારોમાં સ્થિત ધાર્મિક યાત્રાધામો અને આંતર-રાજ્ય જોડાણમાં સીધો વધારો થશે.
ગડકરીએ આજે યોજાયેલા કાર્યક્રમ દ્વારા, રોડ કનેક્ટિવિટીના સંદર્ભમાં અન્ય નવા પ્રોજેક્ટ્સની પણ જાહેરાત કરી હતી. જેમાં 1600 કરોડના ખર્ચે જલંધરથી પઠાણકોટ રૂટ પર મુકેરિયાં, દસુઇયા અને ભોગપુર ખાતે 45 કિમી, 4-લેન ના 3 બાયપાસ બનાવવાની જાહેરાત અને ટાંડાથી હોશિયારપુર સુધી રૂ. 800 કરોડના ખર્ચે 30 કિમી, 4-લેન બાયપાસ બનાવવાની જાહેરાતનો સમાવેશ થાય છે.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ / દધીબલ / માધવી
