નવી દિલ્હી, 17 ફેબ્રુઆરી : બોલિવૂડ એક્ટ્રેસ ઈશા દેઓલ, પોતાના અંગત જીવનના કારણે ચર્ચામાં રહે છે. ધર્મેન્દ્ર અને હેમા માલિનીની દીકરી ઈશાની દુનિયા બરબાદ થઈ ગઈ છે. ઈશા, તેના પતિ ભરત તખ્તાનીથી અલગ થઈ ગઈ છે પરંતુ પુત્રીના છૂટાછેડાને કારણે ધર્મેન્દ્ર આઘાતમાં છે. તે કહે છે કે, ઈશા અને ભરતને છૂટાછેડા વિશે ફરીથી વિચારવાની જરૂર છે.
દેઓલ પરિવારની નજીકની વ્યક્તિએ કહ્યું કે ધર્મેન્દ્ર, ઈશા અને ભરતના છૂટાછેડાના નિર્ણયથી ખુશ નથી. તે કહે છે, કોઈ પણ મા-બાપને પોતાના બાળકોની દુનિયા બરબાદ થતી જોવાનું પસંદ નથી. ધર્મેન્દ્ર પણ એક પિતા છે. અને હવે કોઈ તેનું દર્દ સમજી શકતું નથી. એવું નથી કે તે ઈશાના નિર્ણયની વિરુદ્ધ છે, પણ તેણે ફરીથી તેઓએ વિચારવું જોઈએ. ”
તેણે કહ્યું કે, ઈશા એક સુંદર દીકરી છે. એટલા માટે તેઓ તેને હંમેશા ખુશ જોવા માંગે છે. ઈશા અને ભરતની દીકરીઓ, રાધ્યા અને મિરાયા પણ તેમના દાદા-દાદીની ખૂબ જ નજીક છે. છૂટા પડવાથી બાળકો પર ખરાબ અસર પડે છે અને તેથી ધરમજીને લાગે છે કે, લગ્ન બચાવી શકાય તો બચાવી લેવા જોઈએ.
ઈશા અને ભરતે 2012માં લગ્ન કર્યા અને નવા જીવનની શરૂઆત કરી. તેમની બીજી પુત્રીના જન્મ બાદ તેમની વચ્ચે અણબનાવ થયો હતો. તેમની વચ્ચે ઘણા મતભેદો હતા. તેથી 12 વર્ષનાં સુખી જીવન બાદ તેઓએ અલગ થવાનો નિર્ણય કર્યો.
