
કાઠમંડુ, નવી દિલ્હી, 26 નવેમ્બર (હિ.સ.) નેપાળ અને ભારત વચ્ચે ઉર્જા ક્ષેત્રે દરરોજ નવા રેકોર્ડ બની રહ્યા છે. ભારતની નવી ઉર્જા નીતિનો લાભ લઈને નેપાળે છેલ્લા ચાર મહિનામાં ભારતને વીજળી વેચીને 1250 કરોડ રૂપિયાનો નફો મેળવ્યો છે.
નેપાળ ઈલેક્ટ્રિસિટી ઓથોરિટી અનુસાર, છેલ્લા ચાર મહિનામાં નેપાળની વિવિધ કંપનીઓએ ભારતની વિવિધ કંપનીઓને વીજળી વેચીને 1250 કરોડ રૂપિયાનો નફો મેળવ્યો છે. આ સમયગાળા દરમિયાન નેપાળે, ભારતને 13,612 લાખ યુનિટ વીજળી વેચીને આ નફો મેળવ્યો છે. ઓથોરિટીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર કુલમન ઘિસિંગે કહ્યું કે, નેપાળ માટે વીજળી વેચીને નફો મેળવવાનો આ રેકોર્ડ છે.
ઘિસિંગ ના જણાવ્યા અનુસાર, ગયા નાણાકીય વર્ષમાં સમાન સમયગાળા દરમિયાન નફો માત્ર 486.44 કરોડ રૂપિયા હતો, પરંતુ આ વખતે તે લગભગ ત્રણ ગણો વધીને 1250 કરોડ રૂપિયા થઈ ગયો છે. ભારતની નવી ઉર્જા નીતિના કારણે જ આ શક્ય બન્યું છે. તેની ઉર્જા નીતિમાં ફેરફાર કરીને, ભારત સરકારે નેપાળને ઊર્જાની ખરીદી અને વેચાણ માટે ઘણી સુવિધાઓ પૂરી પાડી છે.
અગાઉ ભારત માત્ર નેપાળના એવા પ્રોજેક્ટ્સમાંથી જ વીજળી ખરીદતું હતું, જે ભારત સરકાર અથવા ભારતીય કંપનીઓના રોકાણથી બને છે, પરંતુ નવી ઊર્જા નીતિ હેઠળ હવે તે પ્રોજેક્ટ્સમાંથી પણ વીજળી ખરીદવામાં આવી રહી છે જે નેપાળ સરકાર અથવા નેપાળી નાગરિકો રોકાણથી બને છે.
હિન્દુસ્થાન સમાચાર / પંકજ દાસ / પવન / માધવી
