કચ્છ,05 નવેમ્બર (હિ. સ.)-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય કાર્યકારી મંડળની બેઠક આજે 5 નવેમ્બરના રોજ સવારે 9:00 કલાકે શરૂ થઈ હતી. આ બેઠકનું આયોજન શ્રી કચ્છી લેવા પટેલ સમાજ, ભુજ (જિ.કચ્છ, ગુજરાત) સ્થિત સરદાર પટેલ વિદ્યા સંકુલ ખાતે કરવામાં આવ્યું છે. સભાની શરૂઆત માતૃશ્રી ધનબાઈ પ્રેમજી ગાંગજી ભુડિયા કોમ્યુનિટી હોલમાં પરમ પૂજ્ય સરસંઘચાલક ડો. મોહનજી ભાગવત અને આદરણીય સરકાર્યવાહ શ્રી દત્તાત્રેય હોસબાલેજી દ્વારા ભારત માતાના ચિત્ર સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી.
આ બેઠકમાં સંઘના દ્રષ્ટિકોણથી 45 પ્રાંતો અને 11 ક્ષેત્રોના સંઘચાલક, કાર્યવાહક, પ્રચારક, અખિલ ભારતીય કાર્યકારીણી સદસ્ય અને કેટલાક વિવિધ સંગઠનોના અખિલ ભારતીય સંગઠન મંત્રીઓ સહિત દેશભરમાંથી લગભગ 382 પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. બેઠકની શરૂઆત કરતા, માનનીય સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાલેજી ઉપસ્થિત તમામ પ્રતિનિધિઓનું સ્વાગત કર્યું હતું.
દેશ અને સમાજ માટે વિશેષ યોગદાન આપનાર અને તાજેતરના ભૂતકાળમાં અવસાન પામેલ તમામ મહાનુભાવોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. મુખ્યત્વે રા. સ્વ. સંઘના વરિષ્ઠ પ્રચારક, માનનીય રંગાહારી જી, શ્રી મદનદાસ દેવીજી, શ્રી જયંત સહસ્રબુદ્ધે જી, શ્રી હરિભાઉ વઝે જી અને સમાજ જીવનના વિવિધ ક્ષેત્રના લોકો જેમ કે પ્રખ્યાત પત્રકાર વેદપ્રતાપ વૈદિક જી, પ્રખ્યાત ચિંતક-લેખક તારેક ફતેહ, સુલભ ઈન્ટરનેશનલના સ્થાપક ડો. બિંદેશ્વર પાઠક, ભૂતપૂર્વ ક્રિકેટર બિશન સિંહ બેદી, ભૂતપૂર્વ સૈનિક સેવા પરિષદના રાષ્ટ્રીય સંગઠન મંત્રી અને સ્થાપક સભ્ય કમાન્ડર બાલકૃષ્ણ જયસ્વાલ, ઉત્તરાખંડના આંદોલનકારી અને મહિલા આયોગના અધ્યક્ષા શ્રીમતી સુશીલા બલુની, પદ્મ ભૂષણ એન. વિઠ્ઠલ-આઈએએસ સહિતનાઓ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. તાજેતરમાં નેપાળમાં આવેલા ભૂકંપમાં દિવંગત થયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. તાજેતરમાં ભારે વરસાદને કારણે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ગુજરાત, નાગપુરમાં આવેલા પૂર અને તેનાથી પ્રભાવિત સમાજના વિવિધ લોકો માટે સ્વયંસેવકો દ્વારા કરવામાં આવેલી મદદ અને સેવાકીય કાર્યો વિશે માહિતી આ બેઠકમાં આપવામાં આવી હતી.
આ બેઠકમાં સંઘ શતાબ્દીની દ્રષ્ટિએ, કાર્યવિસ્તાર માટે બનાવેલ યોજનાની સમીક્ષા કરવામાં આવશે અને સંઘ પ્રશિક્ષણ અભ્યાસક્રમના વિષયો પર ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત, આદરણીય સરસંઘચાલકજીના વિજયાદશમીના સંબોધનમાં ઉલ્લેખિત વિષયો – પ્રકૃતિ વિરુદ્ધ જીવનશૈલી, વિશ્વ પર આબોહવા પરિવર્તનની અસર, સુરક્ષા, સ્વઆધારિત યુગાનુકૂલ નીતિ વગેરે વિષયો પર ચર્ચા કરવામાં આવશે. સામાજિક સમરસતા, કુટુંબ પ્રબોધન, ગૌસેવા, ગ્રામ વિકાસ અને અન્ય ગતિવિધિઓમાં ચાલી રહેલા પ્રયાસોની પણ માહિતી લેવામાં આવશે. આ બેઠક 7 તારીખે સાંજે 6 કલાકે પૂરી થશે.
હિન્દુસ્થાન સમાચાર/ યજુવેન્દ્ર દુબે/માધવી
