નવી દિલ્હી, 23 માર્ચ આજે (શનિવાર) દેશની આઝાદી માટે બલિદાન આપનારા અમર શહીદો ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને કૃતજ્ઞ રાષ્ટ્ર શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ હેન્ડલ પોસ્ટ પર લખ્યું છે કે, આજે રાષ્ટ્ર ભારત માતાના સાચા પુત્રો વીર ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુની શહાદતને આદરપૂર્વક યાદ કરી રહ્યું છે. શહીદ દિવસ નિમિત્તે દેશભરના તેમના પરિવારજનો વતી તેમને નમન અને વંદન. જય હિંદ!” વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, આ પોસ્ટમાં આ સંદર્ભમાં એક વીડિયો ક્લિપ પણ શેર કરી છે.
અન્ય એક્સ-હેન્ડલ પોસ્ટમાં, વડા પ્રધાન મોદીએ એક ગહન સમાજવાદી વિચારક અને સંસદમાં તંદુરસ્ત ચર્ચાને જીવંત કરનાર, ડૉ. રામ મનોહર લોહિયાને યાદ કર્યા છે. તેમણે લખ્યું છે કે, “ડૉ. રામ મનોહર લોહિયાજીને તેમની જન્મજયંતિ પર ભાવભરી શ્રદ્ધાંજલિ. સ્વતંત્રતા ચળવળમાં સક્રિય ભૂમિકા ભજવ્યા પછી, તેઓ સ્વતંત્ર ભારતના રાજકારણના મજબૂત આધારસ્તંભ બની રહ્યા. તેમને તેમના પ્રખર સમાજવાદી વિચારો માટે હંમેશા યાદ કરવામાં આવશે.
