નવી દિલ્હી, 02 જાન્યુઆરી (હિ.સ.) મોરારજી દેસાઈ રાષ્ટ્રીય યોગ સંસ્થાએ, મંગળવારથી સામૂહિક સૂર્ય નમસ્કાર શ્રેણી અભિયાન શરૂ કર્યું. આ અભિયાન અંતર્ગત મંગળવારે, આયોજિત કાર્યક્રમમાં સેંકડો લોકોએ ભાગ લીધો હતો. આયુષ મંત્રાલય દ્વારા આયોજિત, સામૂહિક સૂર્ય નમસ્કાર પ્રદર્શન અભિયાન 14 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે.
આ પ્રસંગે આયુષ મંત્રાલયના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ સત્યજીત પોલ પણ, હાજર હતા. એમડીએનઆઈવાયના ડિરેક્ટર વિજયલક્ષ્મી ભારદ્વાજ સહિત, ઘણા વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓએ ભાગ લીધો હતો. તે આયુષ મંત્રાલય દ્વારા 1 થી 14 જાન્યુઆરી 2023 દરમિયાન (મકરસંક્રાંતિના દિવસે સૂર્યની દક્ષિણથી ઉત્તરીય ગોળાર્ધ તરફની યાત્રાના ઉપલક્ષ્યમાં) ભારતભરના વિવિધ સૂર્ય મંદિરોમાં 108 સ્થળોએ, એકસાથે આયોજિત કાર્યક્રમોની, શ્રેણીનો એક ભાગ છે.) આ પહેલા ગુજરાતમાં સૂર્ય નમસ્કાર માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ હાંસલ કર્યા પછી, એમડીએનઆઈવાય એ સાતત્ય જાળવી રાખવા માટે આ શ્રેણીમાં બીજી ઇવેન્ટનું આયોજન કર્યું હતું.
સૂર્ય નમસ્કારના ફાયદા-
સૂર્ય નમસ્કાર એ 8 આસનોનો સમૂહ છે. જે શરીર અને મનના સંકલન સાથે 12 ચરણોમાં કરવામાં આવે છે. તે સવારે (સૂર્યોદય) કરવામાં આવે છે. સૂર્ય નમસ્કાર
એક, આધ્યાત્મિક પ્રેક્ટિસ છે. જેમાં આસન, પ્રાણાયામ અને ધ્યાન તકનીકોનો સમાવેશ થાય છે. સૂર્ય નમસ્કારના દરેક પગલાનો પોતાનો મંત્ર છે અને તેની શરીરની મહત્વપૂર્ણ ઉર્જા (પ્રણામ) પર તેનો સીધો મહત્વપૂર્ણ પ્રભાવ પડે છે. સૂર્ય નમસ્કારનો નિયમિત અભ્યાસ, માનસિક અને શારીરિક બંને ક્ષેત્રોમાં સંતુલિત ઊર્જા પ્રણાલી બનાવે છે. આ ક્રમ, એકાગ્રતા અને મનની સ્થિરતા વિકસાવવા ઉપરાંત સ્નાયુઓ અને અવયવોને ઉત્તેજિત કરે છે.
હિન્દુસ્થાન સમાચાર / વિજયલક્ષ્મી / દધીબલ / માધવી
