– 25 નવેમ્બરના રોજ
શ્રી રામ મંદિરમાં, ધ્વજારોહણ સમારોહ
અયોધ્યા, નવી દિલ્હી,18 નવેમ્બર (હિ.સ.) શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના
મહામંત્રી ચંપત રાયે, શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ધ્વજારોહણને રામ રાજ્યની પરિકલ્પનાની
સ્થાપના, નિર્ભયતાનું
વાતાવરણ બનાવવા અને રામ બધાના છે અને દરેકના રામ છે તેવી ભાવનાની સ્થાપના તરીકે
વર્ણવ્યું.
મંગળવારે મંદિર પરિસરમાં પત્રકારોના પ્રશ્નોના જવાબ આપતા, તીર્થ ક્ષેત્ર
ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાયે, મંદિરના ધ્વજ પર અંકિત પ્રતીકો વિશે પણ વિગતવાર
જણાવ્યું. મહામંત્રીએ સમજાવ્યું કે,” ધ્વજનો ભગવો રંગ જ્યોત અને બલિદાનનું પ્રતીક
છે. તે ત્રીસ ફૂટ ધ્વજારોહણ (કુલ 42 ફૂટ) સાથે 161 ફૂટ ઊંચા શિખર પર ફરકાવવામાં આવે છે. તેને જમીનથી ૧૯૧
ફૂટની ઊંચાઈએ ફરકાવવામાં આવશે.”
ટ્રસ્ટના મહાસચિવ રાયે સમજાવ્યું કે,” ભગવા ધ્વજ પર સૂર્યની
મધ્યમાં ‘ॐ’ અંકિત છે. સૂર્ય
ભગવાન રામના વંશનું પ્રતીક છે, અને ‘ॐ’ એ દિવ્ય નામનો
પહેલો ઉચ્ચારણ છે. વધુમાં,
કોવિદાર વૃક્ષ
અયોધ્યા રાજવંશની શક્તિનું પ્રતીક રહ્યું છે. જેમ કે વાલ્મીકિ રામાયણ અને હરિવંશ
પુરાણમાં વર્ણવવામાં આવ્યું છે. વિદ્વાનો કહે છે કે તત્કાલીન ઋષિ કશ્યપે પારિજાત
અને મંદારના સંયોગથી કોવિદાર બનાવ્યું હતું. એવું માનવામાં આવે છે કે, તે વિશ્વનો
પ્રથમ સંકર છોડ હતો. એવો પણ ઉલ્લેખ છે કે આ વૃક્ષમાંથી જ લક્ષ્મણે, ભરતને તેની
સેના સાથે જંગલમાં આવતા જોયા હતા.” તેમણે ઉમેર્યું કે,” ધ્વજવંદન સમારોહ માટે
આમંત્રિત મહેમાનોમાંથી ૩,૦૦૦ અયોધ્યા
જિલ્લાના છે, જ્યારે બાકીના
રાજ્યના અન્ય જિલ્લાના છે.”
ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપરાંત, ભારત અને વિદેશની
ઘણી અગ્રણી હસ્તીઓ 25 નવેમ્બરે ભગવાન
રામની નગરી અયોધ્યામાં ધ્વજારોહણ સમારોહમાં હાજરી આપે તેવી અપેક્ષા છે. ધ્વજારોહણ
સમારોહની તૈયારીઓને ઝડપથી અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / પવન પાંડે / સુનિલ સક્સેના
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ
