કોલંબો, નવી દિલ્હી, 15 ડિસેમ્બર (હિ.સ.) સનથ જયસૂર્યાને એક વર્ષ માટે, શ્રીલંકા ક્રિકેટના પૂર્ણ સમયના ક્રિકેટ સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ ભૂમિકામાં, તે ખેતરમામાં એસએલસીના ઉચ્ચ પ્રદર્શન કેન્દ્રમાં, કામ કરતા ખેલાડીઓ અને કોચ બંનેની દેખરેખ રાખશે, ખેલાડીઓ માટે વ્યક્તિગત કૌશલ્ય વિકાસ વ્યૂહરચના માં જોડાશે અને કોચિંગ સ્ટાફની દેખરેખ પણ કરશે.
શ્રીલંકા ક્રિકેટ બોર્ડ (એસએલસી) એ એક રીલીઝમાં જણાવ્યું હતું કે, જયસૂર્યા રાષ્ટ્રીય વિશેષજ્ઞ કૌશલ્ય કાર્યક્રમની પણ સ્થાપના કરશે. જેમાં મુખ્ય સ્ટાફ દરેક કૌશલ્ય શિસ્તમાં મુખ્ય ભૂમિકા ભજવશે અને અન્ય ઘણા કાર્યો કરશે.
આઈસીસી ના ભ્રષ્ટાચાર વિરોધી એકમ દ્વારા 2019 માં તમામ ક્રિકેટમાંથી બે વર્ષ માટે પ્રતિબંધિત કર્યા પછી એસએલસી સાથે જયસૂર્યાનો આ પ્રથમ દેખાવ છે.
તેણે બે આરોપો કબૂલ્યા પછી તેના પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. એક ભ્રષ્ટાચાર વિરોધી સંહિતા હેઠળની તપાસમાં સહકાર આપવાનો નિષ્ફળતા અથવા ઇનકાર અને બીજો તપાસમાં અવરોધ અથવા વિલંબ કરવાનો.
તે આ પહેલા પણ, બે વિવાદાસ્પદ કાર્યકાળમાં શ્રીલંકાના મુખ્ય પસંદગીકાર રહી ચૂક્યા છે. પહેલા તેમના પર સરકારની નજીકના ખેલાડીઓની તરફેણ, કરવાનો આરોપ હતો. જેમાં તેઓ સંસદના સભ્ય તરીકે ભાગ હતા. બીજા કાર્યકાળમાં પુરુષોની રાષ્ટ્રીય ટીમમાં નોંધપાત્ર ફેરફારો જોવા મળ્યા. એસીયુ ના આરોપો મુખ્ય પસંદગીકાર તરીકેના, તેમના બીજા કાર્યકાળ સાથે સંબંધિત હોવાનું માનવામાં આવે છે.
જયસૂર્યાની નિમણૂક, છેલ્લા કેટલાક દિવસોમાં બીજી મહત્વપૂર્ણ નિમણૂક છે. ઉપુલ થરંગાની આગેવાની હેઠળની પસંદગી સમિતિની પણ આ સપ્તાહે પસંદગી કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / સુનીલ / માધવી
