નવી દિલ્હી, 18 ડિસેમ્બર (હિં.સ.) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે (સોમવાર) થી 23 ડિસેમ્બર સુધી, ત્રણ રાજ્યો પશ્ચિમ બંગાળ, તેલંગાણા અને રાજસ્થાનના પ્રવાસ પર છે. તેઓ આજે આઇઆઇટી ખડગપુરના 69માં, દીક્ષાંત સમારોહમાં ભાગ લેશે. આ પછી તેઓ બોલારમ (સિકંદરાબાદ)ના આવેલ ‘રાષ્ટ્રપતિ નિલયમ’ પહોંચશે. પીઆઈબીના જાહેરનામામાં, આ માહિતી આપવામાં આવી છે.
તેમના પ્રેસ રિલીઝ અનુસાર, રાષ્ટ્રપતિ બીજા દિવસે મંગળવારે હૈદરાબાદમાં હૈદરાબાદ પબ્લિક સ્કૂલ સોસાયટીના, શતાબ્દી સમારોહમાં ભાગ લેશે. 20 ડિસેમ્બરે, તેલંગાણાના યદાદ્રી ભુવનગિરી જિલ્લાના પોચમપલ્લી ખાતે, હેન્ડલૂમ અને સ્પિનિંગ યુનિટ અને ટેક્સટાઇલ મંત્રાલયના, થીમ પેવેલિયનની મુલાકાત લેશે. તેઓ સ્થાનિક વણકર સાથે પણ વાતચીત કરશે.
રાષ્ટ્રપતિ સાંજે સિકંદરાબાદમાં એમએનઆર શૈક્ષણિક ટ્રસ્ટના, સુવર્ણ જયંતિ સમારોહમાં હાજરી આપશે. રાષ્ટ્રપતિ 21 ડિસેમ્બરના, રાષ્ટ્રપતિ નિલયમ ખાતે વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે. બીજા દિવસે રાષ્ટ્રપતિ, રાજ્યના મહાનુભાવો, અગ્રણી નાગરિકો, શિક્ષણવિદો વગેરે માટે, રાષ્ટ્રપતિ નિલયમ ખાતે ગૃહ સ્વાગત સમારોહનું આયોજન કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 23 ડિસેમ્બરના, રાજસ્થાનના પોખરણમાં લાઈવ ફાયરિંગ અભ્યાસને નિહાળશે.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ / માધવી
