• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > National > પ્રધાનમંત્રી મોદી, આજે બિહાર અને પશ્ચિમ બંગાળના પ્રવાસે
National

પ્રધાનમંત્રી મોદી, આજે બિહાર અને પશ્ચિમ બંગાળના પ્રવાસે

CliQ INDIA
Last updated: July 18, 2025 12:35 pm
CliQ INDIA
Share
7 Min Read
SHARE

નવી દિલ્હી, 18 જુલાઈ (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દેશના બે રાજ્યો, બિહાર અને પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે. સૌ પ્રથમ, તેઓ સવારે 11:30 વાગ્યે બિહારના મોતીહારી જિલ્લામાં 7,200 કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. આ પછી, પ્રધાનમંત્રી મોદી પશ્ચિમ બંગાળ જશે. તેઓ બપોરે લગભગ ત્રણ વાગ્યે દુર્ગાપુરમાં 5000 કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી બંને રાજ્યોમાં જાહેર સભાઓને પણ સંબોધિત કરશે. પ્રધાનમંત્રીની મુલાકાતની પૂર્વસંધ્યાએ જારી કરાયેલી એક પ્રેસ રિલીઝમાં ભારત સરકારના પ્રેસ એન્ડ ઇન્ફર્મેશન બ્યુરો (પીઆઈબી) દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ પોતાના એક્સ હેન્ડલ પર પ્રધાનમંત્રી મોદીના આજના કાર્યક્રમને પણ શેર કર્યો છે.

બિહારમાં પ્રધાનમંત્રીનો કાર્યક્રમ

પીઆઈબી ના પ્રકાશન મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, બિહારમાં રેલ, માર્ગ, ગ્રામીણ વિકાસ, મત્સ્યઉદ્યોગ, ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી ક્ષેત્રો સંબંધિત વિકાસ પ્રોજેક્ટ્સ રાષ્ટ્રને સમર્પિત કરશે. કનેક્ટિવિટી અને માળખાગત સુવિધાને વેગ આપવાની તેમની પ્રતિબદ્ધતાને અનુરૂપ, પ્રધાનમંત્રી અનેક રેલ પ્રોજેક્ટ્સ રાષ્ટ્રને સમર્પિત કરશે. આમાં સમસ્તીપુર-બછવારા રેલ લાઇન વચ્ચે ઓટોમેટિક સિગ્નલિંગનો સમાવેશ થાય છે, જે સેક્શન પર કાર્યક્ષમ ટ્રેન સંચાલનને સક્ષમ બનાવશે. દરભંગા-થલવારા અને સમસ્તીપુર-રામભદ્રપુર રેલ લાઇનનું ડબલિંગ 580 કરોડ રૂપિયાથી વધુના દરભંગા-સમસ્તીપુર ડબલિંગ પ્રોજેક્ટનો એક ભાગ છે અને રેલ કામગીરીની કાર્યક્ષમતામાં વધારો કરશે અને વિલંબ ઘટાડશે.

પ્રધાનમંત્રી મોદી આ પ્રસંગે અનેક રેલ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ પણ કરશે. રેલ પ્રોજેક્ટ્સમાં પાટલીપુત્ર ખાતે વંદે ભારત ટ્રેનોના જાળવણી માટે માળખાગત સુવિધાઓનો વિકાસ શામેલ છે. ભટની-છપરા ગ્રામીણ રેલ લાઇન (114 કિમી) પર ઓટોમેટિક સિગ્નલિંગ સુવ્યવસ્થિત રેલ કામગીરીને સક્ષમ બનાવશે. ભટની-છપરા ગ્રામીણ વિભાગમાં ટ્રેક્શન સિસ્ટમનું આધુનિકીકરણ કરીને ટ્રેક્શન સિસ્ટમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવામાં આવશે અને ઉર્જા કાર્યક્ષમતામાં સુધારો કરવામાં આવશે. દરભંગા-નરકટિયાગંજ રેલ લાઇન ડબલિંગ પ્રોજેક્ટ લગભગ રૂ. 4,080 કરોડના ખર્ચે રેલ લાઇનની ક્ષમતામાં વધારો કરશે, વધુ મુસાફરો અને માલવાહક ટ્રેનોનું સંચાલન સક્ષમ બનાવશે અને ઉત્તર બિહાર અને દેશના બાકીના ભાગો વચ્ચે જોડાણ મજબૂત બનાવશે.

બિહારમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ આપવા માટે, પીએમ મોદી એનએચ-319 પર 4-લેન આરા બાયપાસનો શિલાન્યાસ કરશે, જે આરા-મોહનિયા એનએચ-319 અને પટના-બક્સર એનએચ-922 ને જોડશે, જે સીમલેસ કનેક્ટિવિટી સુનિશ્ચિત કરશે અને મુસાફરીનો સમય બચાવશે. પીએમ રૂ. 820 કરોડથી વધુના ખર્ચે એનએચ-319 ના પારારિયાથી મોહનિયા સુધીના 4-લેન વિભાગનું પણ ઉદ્ઘાટન કરશે. આ આરા શહેરને એનએચ-02 (ગોલ્ડન ક્વોડ્રિલેટરલ) સાથે જોડતો એનએચ-319 નો ભાગ છે. આ માલવાહક અને મુસાફરોના ટ્રાફિકમાં સુધારો કરશે. આ ઉપરાંત, એનએચ-333-સી પર સરવનથી ચકાઈ સુધી 2-લેનનો પાકો રસ્તો પણ બનાવવામાં આવશે, જે માલ અને લોકોની અવરજવરને સરળ બનાવશે અને બિહાર અને ઝારખંડ વચ્ચે એક મહત્વપૂર્ણ કડી તરીકે સેવા આપશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, દરભંગા ખાતે નવા સોફ્ટવેર ટેકનોલોજી પાર્ક ઓફ ઈન્ડિયા (એસટીપીઆઈ) અને પટણા ખાતે એસટીપીઆઈ ની અત્યાધુનિક ઇન્ક્યુબેશન સુવિધાનું ઉદ્ઘાટન કરશે, જેનો ઉદ્દેશ્ય આઈટી/આઈટીઈએસ/ઈએસડીએમ ઉદ્યોગ અને સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવાનો છે. પ્રધાનમંત્રી મોદી બિહારમાં મત્સ્યઉદ્યોગ અને જળચરઉદ્યોગ ક્ષેત્રને મજબૂત બનાવવા તરફના એક મુખ્ય પગલા તરીકે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના (પીએમએમએસવાય) હેઠળ મંજૂર કરાયેલા મત્સ્યઉદ્યોગ વિકાસ પ્રોજેક્ટ્સની શ્રેણીનું ઉદ્ઘાટન કરશે. આ બિહારના વિવિધ જિલ્લાઓમાં નવી હેચરી, બાયોફ્લોક એકમો, સુશોભન મત્સ્યઉદ્યોગ, સંકલિત જળચરઉદ્યોગ એકમો અને ફિશ ફીડ મિલો સહિત આધુનિક મત્સ્યઉદ્યોગ માળખાનો શુભારંભ કરશે. જળચરઉદ્યોગ પ્રોજેક્ટ્સ રોજગારીની તકો ઉત્પન્ન કરવામાં, માછલી ઉત્પાદન વધારવામાં, ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવામાં અને બિહારના ગ્રામીણ વિસ્તારોમાં સામાજિક-આર્થિક વિકાસને વેગ આપવામાં મદદ કરશે.

પ્રધાનમંત્રી, રાજેન્દ્ર નગર ટર્મિનલ (પટણા) થી નવી દિલ્હી, બાપુધામ મોતીહારી થી દિલ્હી (આનંદ વિહાર ટર્મિનલ), દરભંગા થી લખનૌ (ગોમતી નગર) અને માલદા ટાઉન થી લખનૌ (ગોમતી નગર) વાયા ભાગલપુર સુધીની ચાર નવી અમૃત ભારત ટ્રેનોને લીલી ઝંડી આપશે.

પ્રધાનમંત્રી, દીનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (ડીએવાય-એનઆરએલએમ) હેઠળ બિહારમાં લગભગ 61,500 સ્વ-સહાય જૂથોને 400 કરોડ રૂપિયા પણ આપશે. મહિલા નેતૃત્વ હેઠળના વિકાસ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને, 10 કરોડથી વધુ મહિલાઓને સ્વ-સહાય જૂથો (એસએચજી) સાથે જોડવામાં આવી છે. પ્રધાનમંત્રી ગૃહ પ્રવેશ હેઠળ 12,000 લાભાર્થીઓને ચાવીઓ પણ સોંપશે અને પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણના 40,000 લાભાર્થીઓને 160 કરોડ રૂપિયાથી વધુની રકમ પણ આપશે.

પશ્ચિમ બંગાળમાં પ્રધાનમંત્રીનો કાર્યક્રમ

ભારત સરકારના પ્રેસ અને માહિતી કાર્યાલય દ્વારા જારી કરાયેલી એક અખબારી યાદી અનુસાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, પશ્ચિમ બંગાળમાં તેલ અને ગેસ, વીજળી, માર્ગ અને રેલ ક્ષેત્રોમાં અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ, ઉદ્ઘાટન અને રાષ્ટ્રને સમર્પિત કરશે. પ્રદેશમાં તેલ અને ગેસ માળખાગત સુવિધાને વેગ આપવા માટે, પ્રધાનમંત્રી પશ્ચિમ બંગાળના બાંકુરા અને પુરુલિયા જિલ્લામાં લગભગ 1,950 કરોડ રૂપિયાના ખર્ચે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (બીપીસીએલ) સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન (સીજીડી) પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી, દુર્ગાપુર-હલ્દિયા નેચરલ ગેસ પાઇપલાઇનના દુર્ગાપુરથી કોલકાતા વિભાગનું પણ ઉદ્ઘાટન કરશે. તે મહત્વાકાંક્ષી જગદીશપુર-હલ્દિયા અને બોકારો-ધામરા પાઇપલાઇન હેઠળ નાખવામાં આવી છે. તેને પ્રધાનમંત્રી ઉર્જા ગંગા (પીએમયુજી) પ્રોજેક્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. 1,190 કરોડ રૂપિયાથી વધુ ખર્ચનો દુર્ગાપુરથી કોલકાતા વિભાગ પશ્ચિમ બંગાળના પૂર્વ બર્ધમાન, હુગલી અને નાદિયા જિલ્લામાંથી પસાર થાય છે. આ પાઇપલાઇન તેના અમલીકરણ તબક્કા દરમિયાન પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગાર પ્રદાન કરે છે અને હવે આ પ્રદેશના લાખો ઘરોને કુદરતી ગેસનો સરળ પુરવઠો મળશે.

આ ઉપરાંત, પ્રધાનમંત્રી મોદી, 1,457 કરોડ રૂપિયાથી વધુ ખર્ચે દુર્ગાપુર સ્ટીલ થર્મલ પાવર સ્ટેશનના પ્રદૂષણ નિયંત્રણ પ્રણાલી-ફ્લૂ ગેસ ડિસલ્ફરાઇઝેશન (એફજીડી) અને દામોદર વેલી કોર્પોરેશનના રઘુનાથપુર થર્મલ પાવર સ્ટેશનનું રિટ્રોફિટિંગ પણ રાષ્ટ્રને સમર્પિત કરશે. આનાથી સ્વચ્છ ઉર્જા ઉત્પાદનમાં વધારો થશે અને પ્રદેશમાં રોજગારીની તકો ઉભી થશે. પ્રદેશમાં રેલ માળખાને પ્રોત્સાહન આપતા, પ્રધાનમંત્રી પુરુલિયા ખાતે 390 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે પુરુલિયા-કોટશિલા રેલ લાઇન (36 કિમી) ના ડબલિંગ કાર્યને પણ રાષ્ટ્રને સમર્પિત કરશે. આનાથી જમશેદપુર, બોકારો અને ધનબાદના ઉદ્યોગોની રાંચી અને કોલકતા સાથે રેલ કનેક્ટિવિટીમાં સુધારો થશે અને માલગાડીઓની કાર્યક્ષમ અવરજવર શક્ય બનશે, મુસાફરીનો સમય ઓછો થશે અને ઉદ્યોગો અને વ્યવસાયો માટે લોજિસ્ટિક્સમાં સુધારો થશે. પ્રધાનમંત્રી સેતુ ભારતમ કાર્યક્રમ હેઠળ 380 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે પશ્ચિમ બર્દવાનમાં ટોપસી અને પાંડભેશ્વર ખાતે રોડ ઓવર બ્રિજ (આરઓબી)નું પણ ઉદ્ઘાટન કરશે. આ કનેક્ટિવિટીમાં સુધારો કરશે અને રેલ્વે ક્રોસિંગ પર અકસ્માતો અટકાવવામાં પણ મદદ કરશે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ

You Might Also Like

બીજેપી પશ્ચિમ બંગાળ મેનિફેસ્ટો ૨૦૨૬: ઊંચી પડકારરૂપ રાજકીય વ્યૂહરચના, શાસન દૃષ્ટિ અને ચૂંટણી પહેલાં તીવ્ર ચૂંટણી યુદ્ધનું પ્રતિબિંબ
દેશમાં કોરોનાના 573 નવા કેસ નોંધાયા, બેના મોત
સરસંઘચાલક ડૉ. મોહન ભાગવત ઇમ્ફાલમાં પહોંચ્યા, ઉષ્માભર્યું તેમનું સ્વાગત કરવામાં આવ્યું
આવકવેરા વિભાગની નોટિસ પર, કોંગ્રેસ પાર્ટી દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરશે
રાજપાલ યાદવને વચગાળાના જામીન મળ્યા, જેલવાસ પછી ફિલ્મ ઉદ્યોગનો ટેકો માંગે છે

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અમેરિકી સોલાર કંપનીઓએ ભારત, ઇન્ડોનેશિયા અને લાઓસથી થતી આયાત પર ટેરિફની માંગ કરી
Next Article કચ્છ માટે ગૌરવ: અણુવ્રત સમિતિ ભુજને અણુવિભા તરફથી મળી સભ્યતા
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?