


દેહરાદૂન,12 ઓક્ટોબર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે સવારે પિથોરાગઢ પહોંચ્યા હતા. વડાપ્રધાને અહીં પાર્વતી કુંડની મુલાકાત લીધી હતી અને પૂજા કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાર્વતી કુંડમાં પૂજા કર્યા બાદ આદિ કૈલાશની મુલાકાત પણ લીધી હતી. આ દરમિયાન આધ્યાત્મિક રંગોમાં સજ્જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડમરુ, ઘંટડી અને શંખ વગાડતા જોવા મળ્યા હતા. તેમણે આદિ કૈલાસની મુલાકાત લીધી અને પ્રાર્થના કરી.
વડાપ્રધાન અહીંથી ગુંજી ગામ જશે. જ્યાં તેઓ સેના, ITBP અને BROના જવાનો સહિત સ્થાનિક લોકો સાથે વાતચીત કરશે.વડાપ્રધાન બપોરે લગભગ 12 વાગ્યે અલ્મોડા જિલ્લાના જાગેશ્વર ધામ પહોંચશે. જ્યાં તેઓ પૂજા અને દર્શન કરશે. લગભગ 6200 ફૂટની ઉંચાઈ પર આવેલા જાગેશ્વર ધામમાં લગભગ 224 પથ્થરના મંદિરો છે.
પ્રધાનમંત્રી આજે ઉત્તરાખંડમાં 4200 કરોડ રૂપિયાની યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.
