મોડાસા, 7 એપ્રિલ . લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત સાબરકાંઠા જિલ્લા કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી નૈમેષ દવેની અધ્યક્ષતામાં નોમીનેશનની ચૂંટણી પ્રક્રિયા સમયે અધિકારીઓને રાખવાની તકેદારી અંગે બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં જિલ્લા કલેકટર શ્રી એ જણાવ્યું હતું કે આગામી તા. 12 એપ્રિલના રોજ થી ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થનાર છે ત્યારે ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ આદર્શ આચારસંહિતાનો ભંગ ન થાય, ઉમેદવારી પત્ર ભરવા માટે પાંચ વ્યક્તિઓ જ પ્રવેશ, તેમજ 100 મીટરની ત્રિજ્યામાં એક ઉમેદવાર સાથે ત્રણ જ વાહનોને પ્રવેશ આપવા, યોગ્ય પોલીસ બંદોબસ્ત કરવા, ઉમેદવારી પત્ર ભરવા આવનાર ઉમેદવારોના નોમિનેશન ફોર્મની ચકાસણી અને તે અંતર્ગત કરવામાં આવતી કામગીરી ની વિસ્તૃત ચર્ચા કરી ચૂંટણી સાથે જોડાયેલ અધિકારીઓને સુચારુ આયોજન કરવા અંગે જરૂરી માર્ગદર્શન આપી કામગીરીની સોંપણી કરવામાં આવી હતી.
આ બેઠકમાં અધિક નિવાસી કલેક્ટર ક્રિષ્ના વાઘેલા, જિલ્લાના ચૂંટણી અધિકારી ભૂમિબેન કેશવાલા, ચૂંટણી મામલતદાર હેમાંગીબેન, હિંમતનગર નગરપાલિકા ચીફ ઓફિસર , ચૂંટણી સાથે સંકળાયેલ નાયબ મામલતદારો, પોલીસ વિભાગના પ્રતીનિધિ ચૂંટણી સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા
