બેંગલુરુ, નવી દિલ્હી, 6 ડિસેમ્બર (હિ. સ.) ભારતીય ક્રિકેટ ટીમ મંગળવારે રાત્રે બેંગલુરુથી દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે રવાના થઈ હતી. રુતુરાજ ગાયકવાડ, શ્રેયસ અય્યર, યશસ્વી જયસ્વાલ, મુખ્ય કોચ રાહુલ દ્રવિડ, મોહમ્મદ સિરાજ સહિત અન્ય લોકો, કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ, બેંગલુરુથી પ્રવાસ માટે રવાના થયા હતા.
દક્ષિણ આફ્રિકાનો ઓલ-ફોર્મેટ પ્રવાસ 10 ડિસેમ્બરથી ત્રણ મેચની ટી-20 શ્રેણી સાથે શરૂ થશે, જે 14 ડિસેમ્બર સુધી ચાલશે. 17 ડિસેમ્બરથી, સફેદ બોલની વન-ડે શ્રેણીનો તબક્કો શરૂ થશે, જે 21 ડિસેમ્બરના રોજ સમાપ્ત થશે.
કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને જસપ્રિત બુમરાહ જેવા વરિષ્ઠ ખેલાડીઓ, સફેદ બોલની શ્રેણીમાં નહીં રમે. સૂર્યકુમાર યાદવ ટી-20 ટીમનું નેતૃત્વ કરશે, જ્યારે કેએલ રાહુલ વનડે ટીમનું નેતૃત્વ કરશે. રિંકુ સિંહ, તિલક વર્મા, સાઈ સુદર્શન અને રજત પાટીદાર જેવા યુવાનોને, વન-ડે ટીમ માટે બોલાવવામાં આવ્યા છે.
સિનિયર ખેલાડીઓ બે મેચની ટેસ્ટ શ્રેણી માટે પરત ફરશે, 26 ડિસેમ્બરથી સેન્ચુરિયનમાં પ્રથમ ટેસ્ટ અને આવતા વર્ષે 3 જાન્યુઆરીથી કેપટાઉનમાં, બીજી ટેસ્ટ રમાશે. સિરીઝનો આ રેડ-બોલ લેગ ભારતીય ચાહકો માટે સૌથી વધુ રાહ વાળો હશે, કારણ કે તેઓ હજુ સુધી દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ શ્રેણી જીતી શક્યા નથી.
ભારતની ટેસ્ટ ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, રુતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન (વિકેટકીપર), કેએલ રાહુલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, મોહમ્મદ. શમી, જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), પ્રસિદ્ધ કૃષ્ણા.
ત્રણ ટી-20 મેચો માટેની ભારતીય ટીમઃ યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, રૂતુરાજ ગાયકવાડ, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રિંકુ સિંહ, શ્રેયસ ઐયર, ઈશાન કિશન (વિકેટકીપર), જીતેશ શર્મા (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા (વાઈસ-કેપ્ટન), વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, દીપક ચહર.
ત્રણ વન-ડે માટે ભારતીય ટીમઃ રુતુરાજ ગાયકવાડ, સાંઈ સુદર્શન, તિલક વર્મા, રજત પાટીદાર, રિંકુ સિંહ, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, મુકેશ કુમાર, આવેશ ખાન, અર્શદીપ સિંહ, દીપક ચાહર.
હિન્દુસ્થાન સમાચાર / સુનીલ / ડો. હિતેશ / માધવી
