અમદાવાદ,30 ઓકટોબર : આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત આયુર્વેદ સલાહકાર-શિક્ષક અને પ્રેરક વક્તા તથા આયુલીંકના સ્થાપક, મેનેજિંગ ડિરેક્ટર ડો. પ્રેરક શાહએ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ)ને તેમના પરોપકારી યોગદાનને વિસ્તૃત કર્યું છે અને વ્યક્તિગત સ્તરે અને સમાજનાં સુખાકારી માટે આયુર્વેદનું મહત્તમ યોગદાન આપવા માટે અને આયુર્વેદ શૈક્ષણિક પ્રવૃત્તિઓની અનોખી પહેલ માટે એએમએ ખાતે ‘ એએમએ – ડૉ. પ્રેરક શાહ આયુર્વેદ પ્રવૃત્તિ’ની સ્થાપના કરી છે.
આ પહેલ દ્રારા, એએમએ ટૂંકા ગાળાના અભ્યાસક્રમો, એડવાન્સ્ડ સર્ટિફિકેટ પ્રોગ્રામ્સ, સંશોધન અભ્યાસ, એક્ઝિક્યુટિવ ટ્રેનિંગ પ્રોગ્રામ્સ; સમકાલીન થીમ્સ અને વિષયો પર સિમ્પોઝિયમ, સેમિનાર અને કોન્ફરન્સ; ઓપન ગેસ્ટ લેક્ચર્સ; લેખો અને પ્રકાશન; આયુર્વેદના ક્ષેત્રમાં એક્સપોઝર મુલાકાતો, સ્પર્ધાઓ વગેરે જેવી પ્રવૃત્તિઓ પ્રવૃત્તિઓ હાથ ધરશે.
આના અનુસંધાનમાં મંગળવાર, 31 ઓક્ટોબરના રોજ સાંજે 6.30 થી 7.45 વાગ્યા સુધી એએમએ દ્રારા ‘એએમએ – ડૉ. પ્રેરક શાહ આયુર્વેદ પ્રવૃત્તિ’નો ઉદ્ઘાટન સમારોહ અને આરોગ્યમાં સંવાદિતા: આયુર્વેદ અને મિલેટ્સનું મિશ્રણ વિષય પર પદ્મશ્રી ડૉ.ખાદર વલી, સ્વતંત્ર ખાદ્ય વૈજ્ઞાનિક, મિલેટ મેન દ્રારા એક વાર્તાલાપનું આયોજન એએમએ કેમ્પસ ખાતે કરવામાં આવ્યું છે.
