– ગૂજરાત સરકારના કૃષિ અને પશુપાલન કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ તેમજ રાજયના પંચાયત અને કૃષિ રાજ્યમંત્રી બચુ ખાબડ ની હાજરીમાં રૂપિયા ૫00 કરોડનાં મૂડીરોકાણનાં M O U
ગાંધીનગર/અમદાવાદ,12 જાન્યુઆરી (હિ.સ.) વિશ્વભરના રોકાણકારો વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024 અંતર્ગત રોકાણ કરીને પોતાની કંપનીનો ગ્રોથ વધારવા અને માર્કેટિંગના નવા આયામો માટે ગુજરાત આવી પોતાનાં મૂડી રોકાણ દ્વારા પોતાની પ્રોડક્ટને વિશ્વભરના ગ્રાહકો માટે બજારમાં મૂકે છે. આવી કંપનીઓ સાથે કદમ મિલાવવા જૂનાગઢની ભીતર એન્ટરપ્રાઈઝ પ્રા.લી. દ્વારા ખેડૂતથી ખેતી અને ખેતીથી રાષ્ટ્ર નાં વિચાર સાથે પોતાનાં પ્રોજેકટ ખેડૂત સહકાર કેન્દ્ર સમગ્ર ગુજરાતમાં ખોલવા ગુજરાત સરકારનાં એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ સેક્ટર સાથે ગૂજરાત સરકારના કૃષિ અને પશુપાલન કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ તેમજ રાજયના પંચાયત અને કૃષિ રાજ્યમંત્રી બચુ ખાબડની હાજરીમાં રૂપિયા 500 કરોડનાં મૂડીરોકાણ અને 9500 બેરોજગારોને નોકરી સહિત 25000 લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રોજગારી આપવાના MOU કરવામાં આવેલ છે..
આ પ્રોજેકટ અંતર્ગત રાજયના દરેક જીલ્લામાં 1 લેખે 33 જીલ્લા વેર હાઉસ કેન્દ્રો, મહાનગર વિસ્તારમાં 4 લેખે 32 કેન્દ્રો, નગરપાલિકા વિસ્તારમાં 1 લેખે 155 કેન્દ્રો, તાલુકા કક્ષાના 2 લેખે 500 કેન્દ્રો, ગ્રામ્ય કક્ષામાં 1 લેખે 8500 ગ્રામ્ય કેન્દ્રો,આઉટ લેટ,ફ્રેન્ચાઇઝી શરૂ કરાશે. રાજ્યમાં કુલ – 9220 કેન્દ્રો સ્થાપવાનો પ્રોજેક્ટ 9220 – કેન્દ્રો થકી 20 લાખ ખેડૂતોને સીધો લાભ મળશે. 1 ગ્રામ્ય કેન્દ્રમાં 2 લોકો મળી 8500×2=17000 ને પોતાના ગામમાં રોજગારી મળશે. રાજયના 250 તાલુકામાં 2 કેન્દ્ર થકી 250×2=500 તાલુકા કક્ષાના કેન્દ્રો ખુલશે જેમાં 500×4=2000 લોકોને તાલુકામાં રોજગારી મળશે. રાજ્યની 155 નગરપાલીકા વિસ્તારમાં 1 લેખે કુલ 155 કેન્દ્રો ખુલશે જેમાં 155×3=465 લોકોને રોજગારી મળશે. રાજ્યના 250 તાલુકામાં તાલુકા કક્ષાના વેર હાઉસની સુવિધા આપવાનું આયોજન હોય જેમાં 250×7=1750 લોકોને રોજગારી મળશે. રાજ્યની 8 મહા નગરપાલિકા વિસ્તારનાં ખેડૂતો માટે 4 કેન્દ્રો થકી 8×4=32 કેન્દ્રો ખુલશે જેમાં 32×5=160 લોકોને રોજગારી મળશે. રાજ્યના 33 જીલ્લામાં જીલ્લા કક્ષાના વેર હાઉસની સુવિધા આપવાનું આયોજન હોય 33×15=495 લોકોને રોજગારી મળશે. ખેડૂત સહકાર કેન્દ્ર માં સહભાગીતા કરનારને દર મહિને 30 હજાર થી 2 લાખ રોજગારી મળી રહે તેવા કંપનીના પ્રયાસો રહેશે. સમગ્ર પ્રોજક્ટ ની મોબાઇલ એપ શરૂ કરી 20 લાખ ખેડૂતોનું રજીસ્ટ્રેશન કરી મેસેજ દ્વારા સીધા સંપર્કમાં રહેશું. પેમેન્ટ ની આપ લે માટે પેમેન્ટ ગેટ વે સાથે પેમેન્ટ ચેઇન બનાવવામાં આવશે. ખેડૂતોને ઓન લાઇન તેમજ ઓફ લાઈન વેચાણ સાથે હોમ ડીલવરી સુવિધા અપાશે.
કેન્દ્ર અને રાજ્ય સરકાર કે કૃષિ યુનિવર્સિટી દ્વારા માન્યતા પ્રાપ્ત મંડળો, આત્મા ગ્રુપો, ખેડૂત જૂથો, પાકૃતિક ખેતીજુથ કે મંડળો સાથે સહભાગીતા કરી રોજગારી નું સર્જન કરાશે. ખેત ઓજારો, બિયારણો, એગ્રી પ્રોડક્ટો, ઇલેક્ટ્રિક સાધનો, ઇલેક્ટ્રિક ઉપકરણો, સોલાર બેઇઝ સાધનો અને ઉપકરણો, ઓર્ગેનિક ખાતર દવાઓ, એગ્રો ઈન્ડસ્ટ્રીઝ પ્રોડક્ટ, પાક સંરક્ષણ, પ્રાકૃતીક સંપદાઓ, બાગાયત, ડિજીટલ સર્વિસ, પ્રોસેસીંગ વસ્તુઓ, ઘર ઉપયોગી વસ્તુઓ સહિતની 1000 જેટલી આઇટમો અને પેટા આઇટમો ઉપલબ્ધ થશે. કૃષિ અનુસંધાન કેન્દ્રો, નાબાર્ડ , કૃષિ યુનિવર્સિટીઓ, કેન્દ્ર કે રાજ્યના નિગમોમાં ઉત્પાદીત વસ્તુઓની વેચાણ પરવાનગી મેળવી ગ્રામ્ય લોકો સુઘી પહોચાડવા નો અગ્રીમ પ્રયાસ રહેશે. 250 જેટલી મલ્ટીનેશનલ,નેશનલ, સ્થાનીક કંપનીઓ સાથે સંકલન અને સહભાગીતા કરી ઉચ્ચ ગુણવત્તા વાળી વસ્તુઓ અને બિયારણો લોકો સુઘી પહોચાડવા. ખેડુતથી ખેતી અને ખેતીથી રાષ્ટ્ર નાં વિચાર સાથે આત્મ નિર્ભર, સ્વ નિર્ભર, મુદ્રા, પ્રોજેક્ટ, યુનિટ માટેની લોન, સહાય, સબસિડી સહીતનાં લાભો જે તે કેન્દ્ર સંચાલક ને અપાવી ધંધા રોજગાર વધારવા પ્રયાસો હાથ ધરવામાં આવશે.
કંપની રાજયના 9220 કેન્દ્રોમાં સરેરાશ માસિક 3 લાખનાં ટર્ન ઓવર ગણતા દર મહિને 276 કરોડ અને વાર્ષિક 3319 કરોડ ટર્નઓવરનું મિશન સાથે 50000 લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રોજગારી આપવાનું વિઝન ધરાવે છે. રોકાણ વગર અને રોકાણ સાથે ડીલર નેટવર્ક, ફેન્ચાઇઝી નેટવર્ક B2B, C2C, D2C થકી 1000 થી વધું આઈટમ સાથેના 12500 બિઝનેસ પ્લેટફોર્મ નો લાભ ખેડૂતો ને મળશે.ગુજરાતભરનું સર્વિસ બેઇઝ, નેટવર્ક બેઇઝ, ટારગેટ બેઈઝ, પ્રમોશન બેઈઝ, પેકેજ બેઈઝ, રોકાણ બેઈઝ અલગ અલગ બિઝનેસ પ્લેટફોર્મ. ખેડુત સહકાર કેન્દ્રના ગ્રામ્ય, તાલુકા, નગરપાલીકા, મહા નગરપાલિકા થી જીલ્લા કેન્દ્રોમાં ખેત ઉપયોગી, ખેડુત ઉપયોગી, લોક ઉપયોગી તેમજ સમાજ ઉપયોગી વસ્તુ અને માર્ગદર્શન આપવામાં આવશે જેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા યોજનાકીય લાભો મેળવવા અને સ્વ નિર્ભર બની બેરોજગારોને રોજગારી સાથે જગત ના તાત સમાન ખેડુતો ની આવક બમણી કરી પોષ્ટીક ખોરાક, ઝેર મુકત અનાજ દ્વારા ભારતની અસ્મિતા આગળ વધારવાનો કંપનીનો મુખ્ય ઉ્દેશ્ય છે.
હિન્દુસ્થાન સમાચાર/
