
કાવલી (આંધ્રપ્રદેશ), નવી દિલ્હી, 10 ફેબ્રુઆરી : નેલ્લોર જિલ્લાના કાવલી મુસુનુર ટોલ પ્લાઝા પર આજે (શનિવાર) વહેલી સવારે 2 વાગ્યા પછી સામેથી આવતી એક લારી (ટ્રક) અને ખાનગી બસ વચ્ચેની અથડામણમાં છ લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 20 લોકો ઘાયલ થયા છે.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, રોડની કિનારે પાર્ક કરેલી લારીને પાછળથી બીજી એક લારીએ ટક્કર મારી હતી. તે દરમિયાન સામેથી આવતી એક ખાનગી બસે લારી સાથે ટક્કર મારતાં આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બસનો આગળનો ભાગ ચકનાચૂર થઈ ગયો હતો. બસ ચેન્નાઈથી હૈદરાબાદ જઈ રહી હતી.
પોલીસનું કહેવું છે કે, માહિતી મળતા જ તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને ઘાયલોને નેલ્લોરની નજીકની હોસ્પિટલમાં લઈ ગયા. મૃત્યુઆંક વધવાની આશંકા છે. અત્યાર સુધીમાં ત્રણ મૃતકોની ઓળખ થઈ ગઈ છે. જેમાંથી બે ટ્રક ડ્રાઈવર અને ત્રીજો બસ ડ્રાઈવર છે.
