અયોધ્યા, નવી દિલ્હી, 21 જાન્યુઆરી (હિ.સ.) વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી)ના કાર્યકારી પ્રમુખ આલોક કુમારે કહ્યું કે,” જ્યારે પંડિત જવાહરલાલ નેહરુ વડાપ્રધાન હતા ત્યારે, તેમની કેબિનેટે સોમનાથ મંદિરના પુનઃનિર્માણને મંજૂરી આપી હતી. તે સમયે પણ માત્ર ગર્ભગૃહ જ તૈયાર હતુ, અને તત્કાલિન રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે. તેમાં પ્રાણ-પ્રતિસ્થા કરી હતી. તે સમયે બાકીનું મંદિર હજુ બંધાયું ન હતું.”
અયોધ્યામાં રામકથા મ્યુઝિયમના મીડિયા સેન્ટર પહોંચેલા વીએચપીના કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે,” મંદિર બનાવવામાં, દસેક વર્ષ લાગે છે. ત્યાં સુધી શું આપણે ભગવાનને મંદિરની બહાર રાહ જોવડાવીશું?” તેમણે કહ્યું કે,” જ્યારે ગર્ભગૃહ તૈયાર થાય છે, ત્યારે, ભગવાન તેમાં બિરાજે છે અને મંદિરનું બાકીનું કામ ચાલુ રહે છે.” તેમણે કહ્યું કે,” કેટલાક મંદિરો પવિત્ર થયા પછી પણ, બનાવવામાં આવે છે.”
અન્ય એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે,” શ્રી રામ લલ્લાના પ્રાણ-પ્રતિસ્થા સમારોહ માટે આવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની, અહીં કોઈ જાહેર સભા નથી. તેમનો કાર્યક્રમ માત્ર, આમંત્રિત લોકોને સંબોધવાનો છે. તેઓ 30 ડિસેમ્બર 2023ના રોજ, અયોધ્યા પણ આવ્યા હતા, જ્યારે તેમણે એક જાહેર સભા અને એક માર્ગ સભાને પણ સંબોધિત કરી હતી.”
અન્ય એક પ્રશ્નના જવાબમાં કાર્યકારી પ્રમુખે કહ્યું કે,” લાંબા સંઘર્ષ બાદ શ્રી રામ લલ્લાના પ્રાણ-પ્રતિષ્ઠાનો અવસર આવ્યો છે, પરંતુ આ સંઘર્ષ કોઈપણ રીતે સુખદ કહી શકાય નહીં. કારણ કે, આ સંઘર્ષ પોતાના લોકો સાથેજ હતો. આ સંઘર્ષ અંગ્રેજો કે, મુઘલ આક્રમણકારો સામે નહોતો. તે ચોક્કસપણે, દુઃખદાયક હતું કે, એક વર્ગ શ્રી રામ મંદિરનો વિરોધ કરી રહ્યો હતો. આવી ઘટનાઓ ભૂલી જવી જોઈએ. બસ સમજો કે, આ સંઘર્ષ ભૂતકાળ થયો છે.”
હિન્દુસ્થાન સમાચાર / ડૉ. આમોદકાંત / રાજેશ / માધવી
