ભોપાલ, નવી દિલ્હી, 25 ડિસેમ્બર (હિ.સ.) મધ્યપ્રદેશ ના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ આજે (સોમવારે) ઈન્દોરમાં ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ નિમિત્તે આયોજિત ‘કામદારો નું કલ્યાણ, કામદારો ને સમર્પિત કાર્યક્રમ’ માં ભાગ લેશે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કાર્યક્રમમાં હાજર હુકુમચંદ મિલના કામદારો સાથે વર્ચ્યુઅલ રીતે વાતચીત કરશે. આ માહિતી જનસંપર્ક અધિકારી મહેશ દુબેએ આપી હતી.
તેમણે જણાવ્યું કે, આ કાર્યક્રમ ઈન્દોરના નંદા નગર વિસ્તારમાં સ્થિત કનકેશ્વરી ધામમાં સવારે 11 વાગ્યે શરૂ થશે. આ પ્રસંગે હુકુમચંદ મિલના કામદારોના 30 વર્ષથી પેન્ડિંગ કેસમાં 4,800 કામદારોને રાહત મળશે અને તેમના પરિવારના લગભગ 25 હજાર સભ્યોને ફાયદો થશે. હુકુમચંદ મિલ 70 વર્ષના સફળ ઓપરેશન બાદ 1992માં બંધ કરવામાં આવી હતી. મધ્યપ્રદેશ સરકારે કાનૂની મધ્યસ્થી બાદ 20 ડિસેમ્બરે આ રકમ હાઈકોર્ટમાં જમા કરાવી છે. આ પ્રસંગે મુખ્યમંત્રી રૂ.322 કરોડના વિકાસ કામોનું ભૂમિપૂજન કરશે અને રૂ.105 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કરશે.
હિન્દુસ્થાન સમાચાર/મુકેશ/મુકુંદ / માધવી
