કોલકાતા, નવી દિલ્હી, 25 ડિસેમ્બર (હિં.સ.) લોકસભા ચૂંટણીની દૃષ્ટિએ પશ્ચિમ બંગાળ ભાજપ માટે માછલીની આંખ જેટલું, મહત્ત્વનું બની ગયું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની બે દિવસીય મુલાકાતને, આ દ્રષ્ટિકોણથી જોવામાં આવી રહી છે. તેઓ આજે રાત્રે 11.45 કલાકે કોલકાતા પહોંચી રહ્યા છે.
શાહ મંગળવારે અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે. એવું કહેવામાં આવ્યું છે કે,’ શાહ એરપોર્ટથી સીધા ન્યૂ ટાઉનની હોટેલ જશે, અને રાત્રી વિશ્રામ ત્યાં કરશે. તેમના કાર્યક્રમો બીજા દિવસે સવારે 11:30 વાગ્યે શરૂ થઈ જશે. તે પહેલા કાલીઘાટ મંદિરમાં પૂજા કરવા જશે. આ પછી, અમે બપોરના ભોજન માટે, હોટેલ પરત ફરીશું અને ત્યાં પાર્ટી કાર્યકર્તાઓ સાથે મહત્વપૂર્ણ બેઠક થશે.”
ગૃહમંત્રી નેશનલ લાઇબ્રેરીમાં એક કાર્યક્રમમાં પણ ભાગ લેશે. અહીં પાર્ટીના આઈટી સેલની બેઠક યોજાવાની છે. ત્યારપછી હોટલમાં પાર્ટી કાર્યકર્તાઓ સાથે બીજી બેઠક યોજાશે. માનવામાં આવી રહ્યું છે કે,” રાજ્યના દરેક મોટા નેતા તેમાં ભાગ લેશે. સાંજે તેઓ દિલ્હી જવા રવાના થશે. એક મહિનામાં અમિત શાહની બંગાળની આ બીજી મુલાકાત છે.”
હિન્દુસ્થાન સમાચાર / ઓમ પ્રકાશ / મુકુંદ / માધવી
