નવી દિલ્હી, ૦2 જાન્યુઆરી (હિ. સ.) અર્જુન કપૂરે સકારાત્મક નવી વિચારસરણી સાથે, નવા વર્ષનું સ્વાગત કર્યું છે. બોલિવૂડ સ્ટારે એક નવું ટેટૂ કરાવ્યું છે. તે લખે છે – ‘ઉદય’, ફીનિક્સમાંથી પ્રેરણા લઈને.’
અર્જુને તેના નવા ટેટૂની તસવીર, તેના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી અને લખ્યું, કારણ કે, આપણે કોણ હતા? તેની રાખમાંથી જ આપણે ઉદય પામી શકીએ છીએ, અને આપણે જે બનવાના છીએ, તે બની શકીએ છીએ.
અભિનેતા નવા વર્ષમાં સ્ક્રીન પર તેનું શ્રેષ્ઠ કામ બતાવવા માટે, તૈયાર છે અને તેનું ટેટૂ આ સમયે તેની માનસિકતા દર્શાવે છે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્રા / સુનીત / માધવી
