મુંબઈ, નવી દિલ્હી, 24 ડિસેમ્બર (હિ.સ) કિસાન દિવસ 2023ના અવસર પર, ગોદરેજ એગ્રોવેટ લિમિટેડ, ભારતના સૌથી મોટા વૈવિધ્યસભર કૃષિ વ્યવસાયોમાંના એક, ભારતીય ખેડૂતોનો આભાર માનવા માટે એક બ્રાન્ડ ફિલ્મ રજૂ કરી. દેશનું પોષણ કરતા ખેડૂતોની અભિન્ન ભૂમિકાને ઓળખવા, #KisanSeHumHai નામની એક ફિલ્મ, તેમના કામ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે બનાવવામાં આવી છે.
ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને ક્રિએટિવ લેન્ડ એશિયા સહિતના સહયોગીઓની કોર્પોરેટ બ્રાન્ડ અને કોમ્યુનિકેશન સ્ટીમ દ્વારા, સંકલ્પિત અને અમલમાં મુકાયેલી, આ ફિલ્મ ભારતીય ખેડૂતો માટે ગોદરેજ એગ્રોવેટની પ્રશંસા દર્શાવે છે અને ખેડૂત પરિવારોના ઉત્થાનમાં મદદ કરવાની પ્રતિજ્ઞા દર્શાવે છે.
કિસાન દિવસે આ ફિલ્મના લોન્ચિંગ પ્રસંગે, ગોદરેજ એગ્રોવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર બલરામ સિંહ યાદવે જણાવ્યું હતું કે, “ગોદરેજ એગ્રોવેટ ખાતે, અમે અમારા રાષ્ટ્રને, પોષણ આપતા અમારા ખેડૂતો સાથે ખભે ખભા મિલાવીને ઊભા છીએ. આ ફિલ્મ ખેડૂતોની મહેનત અને નિઃસ્વાર્થ સ્વભાવની પ્રમાણિક સ્વીકૃતિ છે.”
એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બુર્જિસ ગોદરેજ પર ભાર મૂક્યો હતો કે, કંપનીનો મુખ્ય ઉદ્દેશ્ય અને જુસ્સો ખેડૂતોની જરૂરિયાતોને પૂર્ણ કરવાનો છે. રાજાવેલુ એન.કે., સીઈઓ- પાક સંરક્ષણ વ્યવસાયે, કંપની કેવી રીતે સુનિશ્ચિત કરે છે કે, ખેડૂત દ્વારા રોપવામાં આવેલ દરેક બીજ સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવા અને ખેડૂત પરિવારોના ઉત્થાન માટે ખીલે છે તેના પર પ્રકાશ નાખ્યો. સંદીપ કુમાર સિંઘ- સીઈઓ, એનિમલ ફીડ બિઝનેસ, પ્રાણીઓની સંભાળ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. પશુધનની સંભાળ રાખે છે, જે ભારતની પ્રોટીન જરૂરિયાતોને ટકાવી રાખે છે. ભૂપેન્દ્ર સુરી, સીઇઓ- ગોદરેજ જર્સી, ગોદરેજ એગ્રોવેટ લિમિટેડનો ડેરી બિઝનેસ, એક ડેરી જે દેશના પોષણની કાળજી લે છે.
ક્રિએટિવલેન્ડ એશિયાના કો-ફાઉન્ડર અને ક્રિએટિવ વાઇસ-ચેરમેન અનુ જોસેફે જણાવ્યું હતું કે, ગોદરેજ એગ્રોવેટ તે પુરૂષો અને સ્ત્રીઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માંગે છે. જેઓ અમારા ટેબલ પર મુકવામાં આવેલ ખોરાક ઉગાડે છે. તેથી અમે કિસાન દિવસ નિમિત્તે, ખેડૂતોનો આભાર વ્યક્ત કર્યો છે, અને એગ્રોવેટની ટીમ પોતે જ તેનું વર્ણન કરે તેના કરતાં વધુ સારું શું હોઈ શકે.
ગોદરેજ ગ્રુપ સતત ખેડૂતો સાથે સીધું કામ કરે છે, જ્ઞાન, શ્રેષ્ઠ ટેકનોલોજી અને નવીન પ્રક્રિયાઓ દ્વારા વધુ સારા વળતરને સમર્થન આપે છે. ગોદરેજ એગ્રોવેટ ખાતે, ટીમ 1991 થી નવીનતામાં મોખરે છે. જે કૃષિ ઉત્પાદકતામાં સુધારો કરવા અને આપણા રાષ્ટ્રને ખવડાવવા માટે પ્રયત્નશીલ છે.
હિન્દુસ્થાન સમાચાર//માધવી
