નવી દિલ્હી, 03 ડિસેમ્બર (હિં.સ.) કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (કૈટ) એ ભારતના પ્રવાસ અને પર્યટન ક્ષેત્રમાં કેટલીક મોટી કંપનીઓ અને ચીનના રોકાણ પર સવાલો ઉઠાવ્યા છે અને ચિંતા વ્યક્ત કરી છે. કૈટ એ કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ અને વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ પાસે ટ્રાવેલ અને ટુરિઝમ ક્ષેત્રે, કામ કરતી આ કંપનીઓના બિઝનેસ મોડલની તપાસ કરવાની માંગ કરી છે.
કૈટ એ રવિવારે જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે,” દેશમાં ટ્રાવેલ અને ટુરિઝમ સેક્ટરમાં કેટલીક મોટી કંપનીઓ, ખાસ કરીને જેઓ રોકાણની સાથે સાથે ચાઈનીઝ નાણા પર અંકુશ ધરાવે છે, તેમણે આ સેક્ટરમાં ટ્રાવેલ એજન્ટોના બિઝનેસને લગભગ ખતમ કરી દીધો છે. તેમના દ્વારા એકત્રિત કરવામાં આવેલા ડેટાની સુરક્ષા પણ જોખમમાં હોવાની આશંકા વ્યક્ત કરીને કૈટ એ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ અને વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલને વિનંતી કરી છે કે, ટ્રાવેલ અને ટૂરિઝમ ક્ષેત્રે કામ કરતી આ મોટી કંપનીઓના બિઝનેસ મોડલની તપાસ કરવી જોઈએ. તેમના દ્વારા એકત્રિત કરવામાં આવેલ ડેટાનો દુરુપયોગ ન થાય તેની ખાતરી કરવી. આ સાથે એ પણ જોવું જોઈએ કે શું આ ક્ષેત્રમાં બિનઆરોગ્યપ્રદ સ્પર્ધા થઈ રહી છે?”
વેપાર સંગઠન કૈટ ના રાષ્ટ્રીય મહાસચિવ પ્રવીણ ખંડેલવાલે, આ મુદ્દાને જોરદાર રીતે ઉઠાવતા કહ્યું કે,” ભારતમાં ટ્રાવેલ અને ટુરિઝમ બિઝનેસ દેશભરમાં ફેલાયેલા, 10 લાખથી વધુ ટ્રાવેલ એજન્ટો દ્વારા કરવામાં આવી રહ્યો છે. જેનાથી મોટી સંખ્યામાં લોકોને રોજગારી પણ મળી છે. કરવા માટે વપરાય છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં, ચીન અને અન્ય વિદેશી રોકાણોની મદદથી, કેટલીક કંપનીઓએ આ વ્યવસાયને સંપૂર્ણપણે કબજે કરી લીધો છે. હવે તેઓ તેમના પોર્ટલ દ્વારા તમામ બુકિંગ કરે છે. તેમની કંપનીમાં મોટી માત્રામાં વિદેશી નાણાનું રોકાણ કરવામાં આવ્યું છે, તેથી આ વ્યવસાય હવે માત્ર કેટલાક મોટા હાથો સુધી મર્યાદિત છે. આ વ્યવસાય હવે એકાધિકાર તરીકે કામ કરી રહ્યો છે અને તેઓએ ભારતના લોકોનો વિશાળ ડેટા એકત્રિત કર્યો છે.”
આ અંગે ખંડેલવાલે ટ્રાવેલ અને ટુરિઝમ સેક્ટરની કંપની મેકમાયટ્રિપનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે,” આ કંપનીમાં મોટા પ્રમાણમાં ચાઈનીઝ નાણાનું રોકાણ કરવામાં આવ્યું છે. તેના કારણે કંપનીના બોર્ડમાં 10 ડિરેક્ટરોમાંથી 5 ચીની કંપનીના છે. ટ્રીપ.કોમ જે શાંઘાઈથી નિયંત્રિત થાય છે. ટ્રીપ.કોમ ની બીજી કંપની સ્કાય સ્કેનર છે, જે એરલાઈન્સ અને ટ્રાવેલ એજન્ટો વચ્ચે હવાઈ મુસાફરી માટે સસ્તી ટિકિટોની તુલના કરે છે.” તેમણે કહ્યું કે,” તે બજારમાં બિનઆરોગ્યપ્રદ સ્પર્ધાનું વાતાવરણ ઊભું કરીને આડકતરી રીતે મેકમાયટ્રીપને ફાયદો કરાવે છે. જેના કારણે સ્પર્ધાની શક્યતા લગભગ ખતમ થઈ ગઈ છે. આ તેના પ્રકારનું એક કાર્ટેલ છે, જેણે ધીમે ધીમે ભારતીય પ્રવાસ અને પ્રવાસન વ્યવસાયનો મોટો હિસ્સો કબજે કર્યો છે.”
મેકમાયટ્રિપ પર, મુસાફરોના ડેટાના દુરુપયોગની આશંકા વ્યક્ત કરતા કૈટ ના જનરલ સેક્રેટરીએ, કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણ અને વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલ પાસેથી તપાસની માંગ કરી છે. નોંધનીય છે કે મેકમાયટ્રીપ ના પોર્ટલ પર, દરરોજ મોટી સંખ્યામાં લોકો એર ટિકિટ બુક કરાવે છે. જેના કારણે તેમના દ્વારા મોટી સંખ્યામાં લોકોનો ડેટા એકત્ર કરવામાં આવે છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / દધીબલ / માધવી
