• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Regional > સાબરમતી રિવરફ્રન્ટ ખાતે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા આયોજિત પ્રમુખવરણી અમૃત મહોત્સવ
Regional

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા આયોજિત પ્રમુખવરણી અમૃત મહોત્સવ

CliQ INDIA
Last updated: December 8, 2025 2:41 pm
CliQ INDIA
Share
4 Min Read
SHARE
સાબરમતી રિવરફ્રન્ટ ખાતે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા આયોજિત પ્રમુખવરણી અમૃત મહોત્સવ
સાબરમતી રિવરફ્રન્ટ ખાતે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા આયોજિત પ્રમુખવરણી અમૃત મહોત્સવ
સાબરમતી રિવરફ્રન્ટ ખાતે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા આયોજિત પ્રમુખવરણી અમૃત મહોત્સવ

– 50 હજાર હરિભક્તોની હાજરી.

અમદાવાદ, 8 ડિસેમ્બર (હિ.સ.) : બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના પ્રાગટ્ય દિવસ નિમિત્તે આ સંસ્થાના વડા તરીકે મળેલી જવાબદારીના 75 વર્ષ થવાના ભાગરૂપે આ ભવ્ય સમારોહનું આયોજન થયું છે. હરિભક્તો અને સૌ કોઈ ઘણા સમયથી જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તેવા તેવા ‘પ્રમુખ વરણી અમૃત મહોત્સવ’નો રંગારંગા કાર્યક્રમ રવિવારે અમદાવાદના આંગણે યોજાયો.

મહંત સ્વામિની ઉપસ્થિતિમાં અમદાવાદ રિવરફ્રન્ટ પર યોજાયેલા આ કાર્યક્રમમાં 50 હજારથી વધુ હરિભક્તો ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે પ્રમુખસ્વામી મહારાજના નિઃસ્વાર્થ સેવાકાર્યોને શ્રેણીબદ્ધ પ્રસ્તુતિઓ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના નેતાઓએ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી મહંત સ્વામીના આશીર્વાદ મેળવ્યા હતા.

કાર્યક્રમમાં સંબોધન દરમિયાન અમિત શાહે કહ્યું હતું કે, આંબલીવાળી પોળ સમગ્ર વિશ્વ માટે મુલાકાત માટેનું અવિસ્મરણીય સ્થાન બનશે.

મહંત સ્વામી મહારાજ સહિત સંત-મહાત્માઓ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સહિત મહાનુભાવો તથા હરિભક્તોની સાથે સહભાગી થવાનો અવસર આધ્યાત્મિક ઊર્જાની અનુભૂતિ આપનાર બની રહ્યો.

આ દિવ્ય અવસરે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જીવનની પ્રેરણા આપતા વિવિધ પ્રકાશનોનું વિમોચન કર્યું.પ્રમુખસ્વામી મહારાજે પોતાના સમગ્ર જીવનકાળમાં જે સેવાયજ્ઞ આદર્યો, તે માત્ર ભારત માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે નિષ્કામ સેવાનો પ્રેરણાસ્રોત છે.તેમણે સમાજ, રાષ્ટ્ર અને સંસ્કૃતિ માટે અમૂલ્ય પ્રદાન કર્યું, જેમાં આપત્તિ રાહત કાર્યો, વ્યસનમુક્તિ અભિયાન તેમજ શિક્ષણ અને સ્વાસ્થ્ય ક્ષેત્રનું યોગદાન અવિસ્મરણીય છે. તેમનું જીવન સામાજિક ઉત્થાન અને વ્યક્તિ નિર્માણના કાર્યને સમર્પિત રહ્યું હતું.

તેમના પદચિન્હો પર ચાલતા પૂજ્ય મહંત સ્વામી મહારાજના માર્ગદર્શન હેઠળ બીએપીએસ સંસ્થા આજે પણ શિક્ષણ, આરોગ્ય અને સંસ્કાર સિંચનના કાર્યો દ્વારા સમાજને જોડીને વિકસિત ગુજરાતના નિર્માણમાં મહત્ત્વનું યોગદાન આપી રહી છે.આપણે સૌ તેમણે બતાવેલ માર્ગ પર ચાલીને સદાય સેવા, સમરસતા અને સદભાવના ગુણોને જીવનમાં ઉતારીએ.

બીએપીએસના આજીવન પ્રમુખ તરીકે નિયુક્તના 75 વર્ષની ભવ્ય ઉજવણી સાબરમતી નદીના કિનારે, રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે પ્રમુખવરણી અમૃત મહોત્સવની ભવ્ય ઉત્સવ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બી.એ.પી.એસ.ના સ્થાપક શાસ્ત્રીજી મહારાજે પ્રમુખસ્વામી મહારાજને 1950માં અમદાવાદમાં આંબલીવાળી પોળ ખાતે બી.એ.પી.એસ.ના આજીવન પ્રમુખ તરીકે નિયુક્ત કર્યાને 75 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરવામાં આવી હતી.

અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી અને જગદીશ પંચાલે મહંત સ્વામીના આશીર્વાદ લીધા

અમદાવાદના આંગણે યોજાયેલા બીએપીએસના કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવી, અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ પંચાલે હાજરી આપી મહંત સ્વામીના આશીર્વાદ મેળવ્યા હતા. બી.એ.પી.એસ.ના વરિષ્ઠ સંતો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

અમિત શાહે પ્રમુખસ્વામી મહારાજ સાથે તેઓના અનેક સંસ્મરણોને યાદ કર્યા હતા અને પ્રમુખસ્વામી મહારાજને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ઉપરાંત, પ્રમુખસ્વામી મહારાજના આધ્યાત્મિક અનુગામી પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી ગતિમાન બી.એ.પી.એસ.ની આધ્યાત્મિક અને સામાજિક સેવાઓની પ્રશંસા કરી હતી.

કાર્યક્રમની પૂર્ણાહૂતિ સમયે મહંત સ્વામી મહારાજ, મહાનુભાવો અને લગભગ 50 હજાર હરિભક્તોએ સાથે મળીને આરતી કરી ત્યારે અલૌકિક માહોલ રચાયો હતો. બાળ-કિશોર-યુવા વૃંદ દ્વારા દ્વારા નૃત્યાંજલિ પ્રસ્તુત કરવામાં આવી હતી. કાર્યક્રમના સમાપનમાં ભવ્ય આતશબાજી સાથેની અદભુત પ્રસ્તુતિ સાથે ‘પ્રમુખ વરણી અમૃત મહોત્સવની જય’ ના નાદ સાથે આ ઐતિહાસિક અવસરનું સમાપન થયું હતું.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ

You Might Also Like

અમરેલીના મોટા માંડવડાની સીમમાં યુવતી અગમ્ય કારણોસર કૂવામાં ખાબકી જતા મોત
ગાંધીધામ-વિશાખાપટ્ટનમ અને ઓખા-પુરી સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનો ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે
અમદાવાદના સાણંદ ખાતે સાઇબર ક્રાઇમ અવેરનેસ સેમિનાર યોજાયો
જૂનાગઢમાં કેશોદ ખાતે ઘરેલુ હિંસાથી સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ-૨૦૦૫ અંગે જાગૃતિ સેમિનાર યોજાયો
જૂનાગઢ જિલ્લા કલેક્ટર, અનિલકુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આપણો સાંસ્કૃતિક વારસો, જીવંત ધરોહર છે: ગજેન્દ્ર શેખાવત
Next Article એફઆઈએચ જુનિયર મહિલા હોકી વર્લ્ડ કપ: ભારતે વેલ્સને 3-1થી હરાવ્યું
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?