નવી દિલ્હી, 18 ઓગસ્ટ (હિ.સ.) હોબાળા વચ્ચે બે વાર મુલતવી રાખવામાં
આવ્યા બાદ સોમવારે, લોકસભાની કાર્યવાહી દિવસભર માટે મુલતવી રાખવામાં આવી હતી. આ
દરમિયાન, લોકસભામાં ‘આંતરરાષ્ટ્રીય
અવકાશ મથક પર ભારતના પ્રથમ અવકાશયાત્રી – 2૦47 સુધીમાં વિકસિત ભારત’ માટે અવકાશ
કાર્યક્રમની મહત્વપૂર્ણ ભૂમિકા પર વિશેષ ચર્ચા શરૂ થઈ. ઉપરાંત, ગૃહના વિચારણા
માટે બે બિલ રજૂ કરવામાં આવ્યા. લોકસભામાં સવારે 11 વાગ્યે, કાર્યવાહી શરૂ થઈ અને
વિપક્ષનો હોબાળો ચાલુ રહ્યો. પ્રશ્નકાળ થોડો સમય ચાલ્યો. આ દરમિયાન, સ્પીકર ઓમ બિરલાએ
હંગામો મચાવનારા સભ્યોને ચેતવણી આપી કે,” સરકારી સંપત્તિને નુકસાન ન પહોંચાડવું
જોઈએ.”
તેમણે રાજ્ય વિધાનસભાઓનું ઉદાહરણ આપતા કહ્યું કે,” આવા
કૃત્યો માટે ત્યાંના સભ્યો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ પછી, કાર્યવાહી બપોરે 12
વાગ્યા સુધી મુલતવી રાખવામાં આવી. જ્યારે બપોરે 12 વાગ્યે કાર્યવાહી શરૂ થઈ, ત્યારે સરકારે
જાહેર ટ્રસ્ટ સુધારો બિલ રજૂ કર્યું. તેનો ઉદ્દેશ્ય નાના ગુનાઓના ગુનાકરણને સમાપ્ત
કરવાનો, અનુપાલન બોજ
ઘટાડવાનો અને વિશ્વાસ આધારિત શાસન સ્થાપિત કરવાનો છે. આ પછી, લોકસભામાં
ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (સુધારા) બિલ, 2025 રજૂ કરવામાં આવ્યું. બાદમાં, પબ્લિક ટ્રસ્ટ
બિલને સિલેક્ટ કમિટીને મોકલવાનો પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યો.”
આ પછી, કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી. જ્યારે કાર્યવાહી 2 વાગ્યે ફરી શરૂ
થઈ, ત્યારે સરકારે
અવકાશયાત્રી શુભમ શુક્લાની સફળ યાત્રા પર વિશેષ ચર્ચા કરી. અવકાશ રાજ્યમંત્રી ડૉ.
જીતેન્દ્ર સિંહે, વિશેષ ચર્ચા શરૂ કરી. એસઆઈઆરના મુદ્દા પર વિપક્ષે, હંગામો ચાલુ
રાખ્યો. આ પછી, પ્રિસાઇડિંગ
ઓફિસર દિલીપ સૈકિયાએ, સભ્યોને ચર્ચામાં ભાગ લેવા વિનંતી કરી. જ્યારે હોબાળો ચાલુ
રહ્યો, ત્યારે કાર્યવાહી
દિવસભર માટે સ્થગિત કરવામાં આવી.
હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ
