નવી દિલ્હી, 17 ડિસેમ્બર (હિં.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (રવિવારે) તેમના સંસદીય ક્ષેત્ર ઉત્તર પ્રદેશમાં, તેમના ગૃહ-રાજ્ય ગુજરાત અને વારાણસીની મુલાકાતે જશે. બીજેપીએ પોતાના એક્સ હેન્ડલ પર, બંને રાજ્યોમાં વડાપ્રધાનના કાર્યક્રમ વિશે સચિત્ર માહિતી શેર કરી છે. વડાપ્રધાન સૌ પ્રથમ સુરતમાં સવારે 10:45 કલાકે સુરત એરપોર્ટના ઈન્ટીગ્રેટેડ ટર્મિનલ બિલ્ડીંગનું ઉદ્ઘાટન કરશે. આ પછી તેઓ 11:15 કલાકે સુરત ડાયમંડ બોર્સનું ઉદ્ઘાટન કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે એક્સ હેન્ડલ પર, સુરત ડાયમંડ બોર્સનો ફોટો અપલોડ કરીને ખુશી વ્યક્ત કરી છે. તેણે લખ્યું, ‘હું 17 ડિસેમ્બરે, સુરતમાં હોઈશ. સુરત એરપોર્ટના નવા સંકલિત ટર્મિનલ બિલ્ડીંગનું લોકાર્પણ કરવામાં આવશે. સુરત માટે આ એક મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ છે. આ ‘ઇઝ ઓફ લિવિંગ’ને પ્રોત્સાહન આપશે. શહેર અને આસપાસના વિસ્તારો માટે, વધુ વેપારની ખાતરી કરશે.”
વડાપ્રધાને કહ્યું કે,” આવતીકાલે સુરતમાં સુરત ડાયમંડ બોર્સનું ઉદ્ઘાટન કરવામાં આવશે. હીરા ઉદ્યોગ માટે આ એક મોટું પ્રોત્સાહન હશે. અહીં કસ્ટમ્સ ક્લિયરન્સ હાઉસ, જ્વેલરી મોલ, ઇન્ટરનેશનલ બેન્કિંગ અને સેફ વોલ્ટની સુવિધાઓ હશે.” બીજેપીના એક્સ હેન્ડલ પર શેર કરવામાં આવેલી માહિતી અનુસાર, વડાપ્રધાન મોદી બપોરે 3:30 વાગ્યે વારાણસીમાં વિકાસ ભારત સંકલ્પ યાત્રામાં ભાગ લેશે. આ પછી, તે સાંજે 5:15 વાગ્યે કાશી તમિલ સંગમમ-2023 કાર્યક્રમમાં ભાગ લેશે.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ / માધવી
