નવી દિલ્હી, 30 નવેમ્બર (હિ. સ.) બોલિવૂડ નિર્માતા અને નિર્દેશક કરણ જોહરનો લોકપ્રિય શો ‘કોફી વિથ કરણ’ તેની આઠમી સીઝનમાં છે. રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, સની દેઓલ, બોબી દેઓલથી લઈને વરુણ ધવન, સિદ્ધાર્થ મલ્હોત્રા આ નવી સિઝનમાં જોવા મળ્યા છે.
આ નવા એપિસોડમાં રાની મુખર્જી અને કાજોલ બંને જોવા મળ્યા હતા. ‘કુછ કુછ હોતા હૈ’ પછી આ બંનેને પહેલીવાર, સાથે જોઈને ઘણા દર્શકો ખુશ હતા. આ નવા એપિસોડમાં બંનેએ એકદમ ખુલીને વાત કરી. આ જ ઈન્ટરવ્યુ દરમિયાન કરણે, રાની મુખર્જી અને આદિત્ય ચોપડાના ગુપ્ત લગ્ન વિશે પણ ખુલાસો કર્યો હતો. રાની અને આદિત્યના લગ્ન 2014 માં થયા હતા, પરંતુ કરણે ખુલાસો કર્યો હતો કે તેમના લગ્ન સમારંભ એટલો ગુપ્ત હતો કે, તે ફક્ત તેના પર વિશ્વાસ કરી શકતા હતા.
કરણે કહ્યું, “આદિત્ય દુનિયામાં મારો સૌથી સારો મિત્ર છે, અમે તેના અને રાનીના લગ્ન વિશે, ઘણી વાર ચર્ચા કરતા હતા. તે ડેસ્ટિનેશન વેડિંગ હતું. આજે પણ હું કોઈને કહી શકતો નથી કે, તેમના લગ્ન ક્યાં થયા હતા! કારણ કે, આટલા વર્ષો પછી પણ આદિત્ય મારા પર બૂમો પાડતો હતો. તે મને દિવાળી પર લીધેલી તસવીરો પણ શેર કરવા દેતો નથી. જ્યારે તેણે મને તેના લગ્ન વિશે કહ્યું, ત્યારે તેણે મને સખત ચેતવણી આપી. તેણે કહ્યું કે, લગ્નમાં ફક્ત 18 લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યું છે અને તમે જ આ વિશે વાત કરી શકો છો, તેથી જો આ લગ્નના સમાચાર બહાર આવે છે તો તે ફક્ત તમારા તરફથી જ આવી શકે છે. તે સમયે અખબારોનો સારો વપરાશ હતો.”
કરણે આગળ કહ્યું, “આ લગ્ન માટે મારે, મારી માતા સાથે જૂઠું બોલવું પડ્યું. અમારી ફિલ્મ ‘2 સ્ટેટ્સ’ એપ્રિલ 2014માં, રિલીઝ થવાની હતી. હું તે સમયે ફિલ્મની રિલીઝ વખતે પણ જઈ શક્યો નહોતો. માન્ચેસ્ટરમાં મારો પ્રસંગ છે એવું ખોટું બોલીને મારે લગ્નમાં આવવું પડ્યું. હું આ બાબતોને ક્યારેય ભૂલીશ નહીં.”
આદિત્ય અને રાનીએ 2014 માં લગ્ન કર્યા, અને પછીના વર્ષે આદિરા નામની એક સુંદર પુત્રીનો જન્મ થયો.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્રા / સુનીત / માધવી
