– ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન ભાવિકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા તકેદારી
– યાત્રાળુઓની મુશ્કેલીઓ નિવારવા કંટ્રોલ રૂમના નંબર જાહેર કરાયા
જૂનાગઢ તા., 20 નવેમ્બર(હિ. સ.) ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન ભાવિકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યાત્રાળુઓને ખાદ્ય પદાર્થ ખરીદી વખતે રાખવાની તકેદારીઓ માટે જરૂરી સૂચનાઓ બહાર પાડવામાં આવી છે. આ સાથે ભાવિકોની મુશ્કેલીઓ નિવારવા માટે કંટ્રોલ રૂમના નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે.
ગિરનાર લીલી પરિક્રમા તા.૨૩-૧૧૨૦૨૩ થી તા.૨૭-૧૧-૨૦૨૩ દરમિયાન યોજાનાર છે. જેમાં મોટી સંખ્યામાં પરિક્રમા માટે શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે, ત્યારે ખાસ કરીને ખાદ્ય પદાર્થની ખરીદી પહેલા તે ખાદ્ય પદાર્થની એક્સપાયરી છે કે નહીં ? તેની તકેદારી રાખવી. વધુમાં અવારનવાર ખાદ્ય તેલનો તળવામાં ઉપયોગ કરવામાં આવતો હોય તેવા ફરસાણ કે નમકીનની ખરીદી ન કરવી. તેમજ કોઈ પણ ખાદ્ય પદાર્થની ખરીદી સ્વચ્છ અને સારી જગ્યાએથી કરવી હિતાવહ છે. ઉપરાંત કોઈપણ ખાદ્ય વસ્તુની ખરીદી કરતી વેળાએ એમઆરપી કરતાં વધુ કિંમત ચૂકવવી નહીં. આમ, આ બાબતે યાત્રાળુઓને કોઈ મુશ્કેલી જણાય તો કંટ્રોલ રૂમના ટેલીફોન નં. ૦૨૮૫-૨૬૨૧૪૩૫, ૦૨૮૫-૨૬૨૨૦૧૧, ૦૨૮૫-૨૬૨૦૧૮૦ અને ૦૨૮૫-૨૬૨૨૧૪૦ પર સંપર્ક કરવાનો રહેશે.
– હિન્દુસ્થાન સમાચાર / મુકેશ સખીયા/બિનોદ
