નવી દિલ્હી, 20 ઓક્ટોબર (હિં.સ.) રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય કાર્યકારી સભ્ય, ભૈયાજી જોશીના ઉપાખ્ય સુરેશ જોશીએ શુક્રવારે એક કાર્યક્રમમાં દિલ કી ગીતા પુસ્તકનું વિમોચન કર્યું. આ પ્રસંગે તેમણે ગીતાને સમયની જરૂરિયાત ગણાવતા કહ્યું કે,” ભગવદ ગીતાનું બીજ આપણા બધાની અંદર છે.” તેમણે કહ્યું કે,” સમગ્ર વિશ્વએ પવિત્રતા, સકારાત્મક વિચાર અને ધર્મના માર્ગે ચાલવાની જરૂર છે.”
ભૈય્યાજી જોશી શુક્રવારે દિલ્હી યુનિવર્સિટીની ઝાકિર હુસૈન કોલેજમાં આયોજિત સામાજિક સમરસતા અને સિંધી સમાજ કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. તે રાષ્ટ્રીય સિંધી ભાષા વિકાસ પરિષદ, ભારતીય સિંધુ સમાજ, હિમાલય પરિવાર અને મુસ્લિમ રાષ્ટ્રીય મંચના નેજા હેઠળ આયોજિત કરવામાં આવ્યું હતું.
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે,” ભારતીય ઋષિ-મુનિઓએ અને ભારતીય વિચારસરણીએ સમયાંતરે સમરસતાનો સંદેશો આપ્યો છે. ઉપનિષદમાં પણ કોઈ ભેદભાવ નથી, માત્ર બધાના કલ્યાણની વાત કહી છે.” તેમણે કહ્યું કે,” ભગવાને કહ્યું છે કે, તે સજ્જનો અને ધર્મની રક્ષા માટે વારંવાર અવતાર લેશે.” ભૈયાજીએ કહ્યું કે,” ગીતામાં સમગ્ર જીવ જગત અને માનવ સમાજની સુમેળનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને દરેકના કલ્યાણની કામનાની વાત કરી છે.”
ભૈય્યાજી જોષીએ કહ્યું કે,” સંકટ ત્યારે આવે છે જ્યારે દુનિયા, દુષ્ટ લોકોથી ભરેલી હોય અને ભગવાન ઉપરથી નહીં આવે. ગીતાના સંદેશાઓને સમગ્ર બ્રહ્માંડ માટે જરૂરી ગણાવ્યા. ગીતામાં આપેલો સંદેશ ક્રિયા અને ભક્તિથી ભરેલો છે, પરંતુ જ્ઞાન વિના આ ભક્તિ અને ક્રિયા કરવી મૂર્ખતા છે. આ બાબતો માત્ર હિંદુઓ કે એક સમુદાય માટે નથી પરંતુ સમગ્ર માનવ જાતિ માટે છે.”
કાર્યક્રમમાં સંઘના વરિષ્ઠ પ્રચારક અને મુસ્લિમ રાષ્ટ્રીય મંચના મુખ્ય સંરક્ષક ઈન્દ્રેશ કુમારે, ઈઝરાયેલ, પેલેસ્ટાઈન, યુક્રેન અને રશિયાનું નામ લીધા વિના કહ્યું કે,” મુસ્લિમ, ખ્રિસ્તી અને યહૂદીઓ કુલ વસ્તીના 50 ટકા છે, પરંતુ આટલો મોટો સમાજ આજે ગુસ્સા અને લોકો નફરતમાં જીવીને એકબીજા સાથે લડી રહ્યા છે, આવી સ્થિતિમાં વિશ્વ શાંતિની કલ્પના પણ કરી શકાતી નથી.”
ઈન્દ્રેશ કુમારે કાર્યક્રમની પ્રશંસા કરી અને સામાજિક સમરસતા પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે,” માલિક એટલે કે ઈશ્વર, અલ્લાહ, વાહેગુરુ અને ભગવાન બધા એક જ છે. જેને સાદા શબ્દોમાં ઉપર ભગવાન કહેવાય છે. દીન, કુરાન, પંથ, ગીતા, શાસ્ત્રો અને સંપ્રદાયો બધા સંવાદિતા, પ્રેમ, શાંતિ અને સંબંધની વાત કરે છે.”
આ અવસરે ઈન્દ્રેશ કુમારે ગીતાના ઉપદેશનો ઉલ્લેખ કરતા કહ્યું કે,” અન્ન, વસ્ત્ર અને રહેઠાણ લોહીથી નહીં પરંતુ શ્રમથી કમાવાય છે. શ્રી કૃષ્ણએ ગીતામાં પણ કહ્યું હતું કે, કાર્ય કરો અને પરિણામની ચિંતા ન કરો. જ્યારે અંગ્રેજોને પણ આ દેશમાંથી હાંકી કાઢવામાં આવ્યા ત્યારે નારા લાગ્યા હતા -તમે મને લોહી આપો, હું તમને આઝાદી અપાવીશ.” તેમણે કહ્યું કે,” બાપુએ અન્ન, વસ્ત્ર અને મકાનની નહીં પણ આત્મસન્માનની વાત કરી હતી. કારણ કે અંગ્રેજો પાસેથી આઝાદી મળે ત્યારે બીજી વસ્તુઓ આપોઆપ થશે એ સ્વાભાવિક હતું.”
દિલ કી ગીતા પુસ્તકનો કાવ્યાત્મક સ્વરૂપમાં, અનુવાદ કરવામાં આવ્યો છે. પ્રોફેસર ગીતા જોષીએ તેનું સંપાદન કર્યું છે.
એનસીએમઇઆઈના સભ્ય શાહિદ અખ્તર, દિલ્હી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર યોગેશ સિંહ, ઝાકિર હુસૈન કોલેજના પ્રિન્સિપાલ પ્રોફેસર નરેન્દ્ર સિંહ, ભારતીય સિંધુ સમાજ દિલ્હીના પ્રમુખ રાજન નાગપાલ સહિત ઘણા મહાનુભાવોએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ / પવન / ડો હિતેશ / માધવી
